ગુજરાત

gujarat

ETV Bharat / state

ભગવાન જગન્નાથના મામેરિયાઓ નારાજ, સરસપુરમાં નીરસ માહોલ

ગુજરાત હાઇકોર્ટ દ્વારા મોડી રાત્રે અમદાવાદમાં રથયાત્રા યોજવાની પરવાનગી આપવામાં આવી ન હતી. જેના કારણે ભગવાનના ત્રણેય રથ મંદિર પરિસરમાં ફેરવીને રથયાત્રાની ઉજવણી કરાઈ હતી. જેના પગલે સરસપુર વિસ્તારમાં નીરસતાનો માહોલ જોવા મળ્યો હતો.

By

Published : Jun 23, 2020, 2:30 PM IST

ભગવાન જગન્નાથ
ભગવાન જગન્નાથ

ગાંધીનગર : covid-19 પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાત હાઇકોર્ટ દ્વારા મોડી રાત્રે અમદાવાદમાં રથયાત્રા યોજવાની પરવાનગી આપવામાં આવી ન હતી. જેના કારણે ભગવાનના ત્રણેય રથ મંદિર પરિસરમાં ફેરવીને રથયાત્રાની ઉજવણી કરાઈ હતી. જેના પગલે સરસપુર વિસ્તારમાં નીરસ માહોલ જોવા મળ્યો હતો.

ભગવાન જગન્નાથના મામેરિયાઓ નારાજ, સરસપુરમાં નીરસ માહોલ
ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાત્રે 1:55 કલાકે રથયાત્રાની રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મંદિરના ટ્રસ્ટીઓ અને આગેવાનો દ્વારા મંદિર પરિષદમાં જ રથયાત્રા ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ભગવાનના મોસાળમાં એવા સરસપુરમાં ભગવાન માટે મામેરું તૈયાર કરવામાં આવ્યું હતું. પરંતુ ભક્તોમાં નીરસતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે, ભક્તોએ ગુજરાત હાઈકોર્ટે રથયાત્રા કાઢવાના નિર્ણયને માન આપી સ્વીકાર્યો હતો.
ભગવાન જગન્નાથના મામેરિયાઓ નારાજ, સરસપુરમાં નીરસ માહોલ

ભગવાનના મોસાળાની વાત કરવામાં આવે તો મોસાળમાં તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી આ સાથે જ ભગવાનના વાઘા ઘરેણા તમામ તૈયારી પૂર્ણ કરીને મંદિરમાં પણ ગોઠવવામાં આવી છે પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દર્શનાર્થીઓની પણ ઓછી ભીડ દેખાઈ હતી. જ્યારે મંદિર દ્વારા સોશિયલ ડિસટન્સ સાથે લોકોને દર્શન કરાવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે હાઈકોર્ટનો નિર્ણય સર્વોપરી પણ ગણાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details