ગુજરાત

gujarat

જગન્નાથ મંદિરમાં 2 હજારથી વધુ સાધુ-સંતોએ ભંડારનો પ્રસાદ લીધો

By

Published : Jul 3, 2019, 4:18 AM IST

અમદાવાદ: શહેરમાં ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા નીકળવાની છે. ત્યારે દર વર્ષની જેમ રથયાત્રા મંદિરના પ્રાંગણમાં ભંડારાનું આયોજન મંદિર દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે 2 હજારથી પણ વધુ સાધુ-સંતોએ આ મંદિરના ભંડારાનો પ્રસાદ લીધો હતો.

જગન્નાથ મંદિરમાં 2 હજારથી વધુ સાધુ-સંતોએ ભંડારનો પ્રસાદ લીધો

દર વર્ષની જેમ પરંપરાગત રીતે જગન્નાથ મંદિરના પ્રાંગણમાં ભંડારો યોજાયો હતો. જેની શરૂઆતમાં અનેક સાધુ-સંતોએ ભાગ લીધો હતો. અંદાજિત બે હજાર કરતા પણ વધુ સાધુ-સંતોએ ભંડારાનો પ્રસાદ મેળવ્યો હતો. ઉપરાંત મંદિર પ્રશાસન દ્વારા સાધુસંતોને દક્ષિણા અને ભેટ પણ આપવામાં આવી હતી.

જગન્નાથ મંદિરમાં 2 હજારથી વધુ સાધુ-સંતોએ ભંડારનો પ્રસાદ લીધો

આ ઉપરાંત મંદિરના મહંત દિલીપદાસજી દ્વારા પણ ભંડારામાં આવેલા સાધુ-સંતો અને અલગથી દક્ષિણા આપીને આશીર્વાદ મેળવવા આવ્યા હતા. સાધુ સંતો ઉપરાંત 25000 થી વધુ ભક્તોએ ભંડારમાંથી પ્રસાદ મેળવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details