ગુજરાત

gujarat

By

Published : May 12, 2021, 7:05 AM IST

ETV Bharat / state

સમરસ કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય પોર્ટમાંથી લિકેજ થવાની ઘટના બની

સમરસ કોવિડ હોસ્પિટલ ખાતે મોડી રાત્રે સી બ્લોકમાં ત્રીજા માળે ઓક્સિજન પોર્ટમાંથી લિકેજ થવાની ઘટના બનતી હોય છે. ડૉક્ટરોના સ્ટાફમાં દોડધામ મચી ગઇ હતી. તાત્કાલિક OSD ડૉક્ટર વિનોદ રાવ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને નિયંત્રણમાં લાવી હતી. દાખલ કોરોના દર્દીઓને બીજા રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી.

ઓક્સિજન પોર્ટમાં લિકેજ થવાની ઘટના
ઓક્સિજન પોર્ટમાં લિકેજ થવાની ઘટના

  • હોસ્પિટલના ત્રીજા માળમાં ઓક્સિજન સપ્લાય પોર્ટમાંથી લિકેજ થવાની ઘટના
  • ઓક્સિજન સપ્લાય લીકેજ થતાં ડૉક્ટરો અને સ્ટાફમાં દોડધામ મચી ગઇ
  • ફાયર બ્રિગેડની ટીમ અને OSD ડૉક્ટર ઘટનાસ્થળ પર પહોંચ્યા

અમદાવાદ :રાજ્યમાં કોરોના હાહાકાર મચાવ્યો છે. દિવસેને દિવસે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે અને મોતનો આંકડો પણ વધી રહ્યો છે. ત્યારે વડોદરામાં ગઇકાલે મંગળવારે કોવિડ સમરસ હોસ્પિટલ જે પંડ્યા બ્રિજ ખાતે આવેલી છે. ત્યાં બ્લોક સીના ત્રીજા માળે ઓક્સિજન સપ્લાય લીકેજ થતાં ડૉક્ટરો અને સ્ટાફમાં દોડધામ મચી ગઇ હતી. તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ અને OSD ડૉક્ટર વિનોદ રાવ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

ઓક્સિજન પોર્ટમાં લિકેજ થવાની ઘટના
આ પણ વાંચો : તિરૂપતિ: ઓક્સિજન ટેન્કરની રાહ જોતા 11 દર્દીઓના ઓક્સિજનના અભાવને કારણે થયા મોત
ઓક્સિજન પોર્ટમાં લિકેજ થવાની ઘટના

6 જેટલા દર્દીઓને બીજા રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા
સમરસ હોસ્પિટલના ત્રીજા માળ 304માં ઓક્સિજન સપ્લાય પોર્ટમાંથી લિકેજ થવાની ઘટના બનતા જ હાજર સ્ટાફ અને ODD ડૉક્ટર વિનોદ રાવે દાખલ કોરોના દર્દીઓને સાવચેતીપૂર્વક બીજા રૂમમાં ખસેડવામાં આવ્યા હતા. 6 જેટલા દર્દીઓને બીજા રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ઓક્સિજન જે પોર્ટમાં લીકેજ થયો હતો એનું સમારકામ ચાલુ કરી દેવામાં આવ્યું હતું.

ઓક્સિજન પોર્ટમાં લિકેજ થવાની ઘટના

આ પણ વાંચો : કચ્છમાં ઓક્સિજનની અછત દૂર કરવા ફોકીઆએ 275 ઓક્સિજન કન્સન્ટ્રેટરનું કર્યું દાન

કોરોનાના કોઈપણ દર્દીઓને જાન હાનિ થઈ નથીસમરસ કોવિડ હોસ્પિટલ ખાતે ઓક્સિજન લીકેજની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં હોસ્પિટલના હાજર સ્ટાફે સાવચેતીપૂર્વક કોરોના દર્દીઓને બીજા રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. સદભાગ્યે કોરોનાના કોઈપણ દર્દીઓને જાન હાનિ થઈ નથી. તાત્કાલિક ફાયરબ્રિગેડનો સ્ટાફ અને OSD ડૉક્ટર વિનોદ રાવે પહોંચી જઈને સ્થિતિને નિયંત્રણમાં લાવતા મોટી જાનહાનિ ટળી હતી.
ઓક્સિજન પોર્ટમાં લિકેજ થવાની ઘટના

ABOUT THE AUTHOR

...view details