ગુજરાત

gujarat

By

Published : Dec 13, 2019, 3:08 PM IST

ETV Bharat / state

DPS વિવાદ: હાઇકોર્ટે મંજુલા શ્રોફની 17મી જાન્યુઆરી સુધી ધરપકડ ન કરવાનો વચગાળાનો આદેશ આપ્યો

અમદાવાદ: નિત્યાનંદ આશ્રમની સાથે હાથીજણ ખાતે આવેલી DPS સ્કુલ પણ વિવાદમાં સપડાઈ છે. શાળા મુદે શિક્ષણ વિભાગમાં રજુ કરાતો NOC બોગસ હોવાથી DPS સ્કુલના ટોચના આધિકારીઓ મંજુલા શ્રોફ, હિતેન વંસત સહિત 3 આરોપીઓના મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે જામીન ફગાવતી દેતા મંજુલા શ્રોફે હાઇકોર્ટમાં રિટ દાખલ કરતા જસ્ટિસ એ.વાય.કોગજે 17મી જાન્યુઆરી સુધી મંજુલા શ્રોફની ધરપકડ ન કરવાનો હંગામી આદેશ કર્યો હતો.

DPS વિવાદ : હાઇકોર્ટે મંજુલા શ્રોફની 17મી જાન્યુઆરી સુધી ધરપકડ ન કરવાનો વચગાળાનો આદેશ આપ્યો
DPS વિવાદ : હાઇકોર્ટે મંજુલા શ્રોફની 17મી જાન્યુઆરી સુધી ધરપકડ ન કરવાનો વચગાળાનો આદેશ આપ્યો

આ કેસમાં બુધવારે મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે આગોતરા જામીન ફગાવતા મહત્વનું અવલોકન કર્યું હતું કે આરોપીઓ વિરૂધ ગંભીર પ્રકારના ગુના દાખલ થયેલા છે અને જો તેમને જામીન આપવામાં આવશે તો પુરાવા સાથે ચેડા થઈ શકે છે. જેને ધ્યાનમાં રાખીને જામીન ફગાવવામાં આવ્યા હતા. કોર્ટમાં આ મુદે પોલીસ દ્વારા સોંગદનામું રજુ કરવામાં આવ્યું હતું. જેમાં આરોપીઓની ગેરહાજરીમાં સ્કુલ દ્વારા લેવામાં આવેલી બોગસ NOC તપાસ માટે મેળવી શકાશે નહિ.

પોલીસે સોંગદનામાં આક્ષેપ કર્યો છે કે આ કેસના આરોપી અને સહ-આરોપીઓ દ્વારા ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. DPS ઈસ્ટ શાળાએ ખોટી NOC મેળવી શાળા શરૂ કરી હતી. આરોપીઓ સદ્ધર છે અને સ્કુલ સતાધિશો તરફથી પણ તપાસમાં સહયોગ ન મળતો હોવાથી તેમના આગોતરા જામીન મંજુર કરવામાં ન આવે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ત્રણ દિવસ સુધીમાં પોલીસ આરોપીઓની ધરપકડ કરી શકે છે.

હાઇકોર્ટે મંજુલા શ્રોફની 17મી જાન્યુઆરી સુધી ધરપકડ ન કરવાનો વચગાળાનો આદેશ આપ્યો
અગાઉ અરજદારના વકીલે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં ત્રણેય આરોપીઓને પોલીસ સોંગદનામું રજુ ન કરે ત્યાં સુધી ધરપકડમાંથી રાહત આપવામાં આવે તેવી દાદ સાથે અરજી દાખલ કરતા કોર્ટે તેને માન્ય રાખીને આગામી મુદત સુધીમાં ધરપકડમાંથી રાહત આપી હતી.

શિક્ષણ વિભાગ દ્વારા DPS પૂર્વ શાળા સંચાલકો કારોકસ ગ્રુપના એમડી શ્રોફ, હિતેન વંસત અને પૂર્વ પ્રિન્સિપાલ અમિતા દુઆ સામે બોગસ NOC મુદ્દે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જીલ્લા શિક્ષણ અધિકારી (ગ્રામ્ય) દ્વારા વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરૂધ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે NOC ગુજરાત સરકારનું ન હોવાથી CBSEએ DPS સ્કુલની માન્યતા રદ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details