ગુજરાત

gujarat

નિયમ વિરૂદ્ધ જુબાની થઈ શકે નહીં, અહેમદ પટેલ 20મી જૂને હાજર રહેઃ હાઈકોર્ટ

By

Published : Jun 12, 2019, 7:30 PM IST

અમદાવાદઃ વર્ષ 2017 રાજ્યસભા ચુંટણીમાં કોગ્રેસી નેતા અહેમદ પટેલની જીતને પડકારતી અરજી મુદ્દે બુધવારે ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટીસ બેલા ત્રિવેદીની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કાયદા પ્રમાણે પ્રતિવાદી અહેમદ પટેલના સ્થાને શક્તિસિંહ ગોહિલ હાજર રહેતાં અરજદારના વકીલ દ્વારા વાંધો ઉઠાવવામાં આવતા કોર્ટે અગામી 20મી જૂનના રોજ અહેમદ પટેલને હાજર થવાનો આદેશ આપ્યો છે, અહેમદ પટેલ બીમાર હોવાના આક્ષેપ સાથે કોર્ટમાં ગેરહાજર રહ્યાં હોવાની દલીલ કરવામાં આવી હતી.

નિયમ વિરૂધ જુબાની થઈ શકે નહિ, અહેમદ પટેલ 20મી જુને હાજર રહેઃ હાઈકોર્ટ

હાઈકોર્ટે કહ્યું કે અહેમદ પટેલને પ્રવાસ ન કરવો એવો કોઈ અભિપ્રાય કે સલાહ ડોક્ટર દ્વારા આપવામાં આવી છે કે કેમ એવો કોઈ ઉલ્લેખ સોંગદનામામાં કરવામાં આવ્યો નથી. બળવંતસિંહ રાજપૂતના વકીલ નિરુપમ નાણાવટીએ બોમ્બે હાઈકોર્ટના ચૂકાદાને ટાંકીને દલીલ કરી હતી કે નિયમ પ્રમાણે અહેમદ પટેલને હાજર થવાનું હોય છે અને જો અન્ય કોઈ વ્યકિત હાજર રહે તો ઉલટ-તપાસ યોગ્ય રીતે થઈ શકે નહિ.

હાઈકોર્ટમાં અહેમદ પટેલના હાજર ન રહેવા મુદ્દે તેમના વકીલ પંકજ ચાંપાનેરીએ દલીલ કરી કે, તબિયત સારી ન હોવાની વાતનો ઉલ્લેખ સોંગદનામાં કરવામાં આવ્યો છે. ગત 8મી મેના રોજ અહેમદ પટેલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની રજૂઆત કરવામાં આવી હતી, જેની સામે અરજીમાં મેડિકલ ચેક-અપ માટે ગયા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે બળવત સિંહ રાજપૂતના વકીલની દલીલને માન્ય રાખી અહેમદ પટેલને 20મી જૂનના રોજ હાજર થવાનું ફરમાન કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details