ગુજરાત

gujarat

ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યા કોરોના પોઝિટિવ, કમલમમાં પણ 6 લોકો કોરોનાથી સંક્રમિત

By

Published : Sep 8, 2020, 3:39 PM IST

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. ગુજરાતમાં કોરોનાના કારણે હજારો લોકોના મોત થયા છે. ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તેમને વધુ સારવાર માટે યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ કોરોનાનું એપી સેન્ટર બન્યું છે. કમલમમાં 6 લોકો કોરોના પોઝિટિવ થયા છે.

gujarat
કમલમમાં 6 લોકો કોરોનાથી સંક્રમિત

અમદાવાદ: ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા કોરોના સંક્રમિત થયા છે. તેમને વધુ સારવાર માટે યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભાજપ કાર્યલય કમલમમાં પણ 6 લોકો કોરોના પોઝિટિવ થયા છે.

ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યા કોરોના પોઝિટિવ

છેલ્લા સાત દિવસમાં ભરત પંડ્યાના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને કોરોના ટેસ્ટ કરાવી લેવાની વિનંતી કરવામાં આવી છે. બીજી તરફ મળતી વિગતો પ્રમાણે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ કોરોનાનું એપી સેન્ટર બન્યું છે. કમલમના 6 લોકો કોરોના સંક્રમિત થયા છે.

ભાજપ પ્રદેશના કાર્યાલયની બહાર રિબીનવાળા બેરીકેડ લગાવવામાં આવ્યા છે. પ્રદેશ કાર્યાલય મંત્રી પરેશ પટેલ પણ પોઝિટિવ થયા છે. તેમજ પ્રદેશ મહિલા મોરચાના મોના રાવલ, કમલમના ટેલિફોન ઓપરેટર રાકેશ પંડયા, કમલમમાં સફાઈકર્મીઓનો ડ્રાઈવર અને કમલમના 2 સફાઈ કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ થયા છે. અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ અને તેમના પત્ની પણ કોરોના સંક્રમિત થયા છે.

ABOUT THE AUTHOR

...view details