સાબરમતી કિનારે શ્રમજીવીએ કરી 'દશામા'ના મૂર્તિની સ્થાપના
અમદાવાદઃ શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીના પુલ ઉપરથી નદીમાં ધાર્મિક વસ્તુઓ જેવા કે ફોટા, મૂર્તિઓ, ચુંદડીઓ, માળાઓ વગેરે નદીમાં વિસર્જન કરવામાં આવે નહીં, તે માટે કોર્પોરેશન દ્વારા કુંજા આકારના મોટા કળશ મુકવામાં આવ્યા છે.
સાબરમતી કિનારે શ્રમજીવી દ્વારા 'દશામા'ની મૂર્તિની સ્થાપના કરવામાં આવી
આ કળશની સારસંભાળ માટે રાખવામાં આવેલા શ્રમજીવી માટે પુલ ઉપર મૂકવામાં આવેલા કુંજાની જગ્યા આજીવિકાનું સાધન છે. ત્યારે આજરોજ એલિસબ્રીજ ઉપર મુકવામાં આવેલા આવા કુંજાની દેખરેખ રાખનાર વ્યક્તિ દ્વારા રોડ ઉપર જ 'દશામા'ની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે આ દ્રશ્ય ભક્તોની માતાજી પ્રત્યેની ભાવના અને લાગણી કેટલી પ્રબળ છે તે દર્શાવી છે.