ગુજરાત

gujarat

ETV Bharat / state

ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ: CBI કોર્ટનો ચુકાદો, અમીન અને વણઝારાની ડિસ્ચાર્જ અરજી મંજૂર

અમદાવાદઃ ગુજરાતમાં બહુ ચર્ચિત ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં આજે એન. કે. અમીન અને ડીજી વનઝરાની ડીસચાર્જ અરજી પર CBI કોર્ટ ચુકાદો આપ્યો છે. જેમાં અમીન અને વણઝારાની ડિસ્ચાર્જ અરજી CBI કોર્ટે મંજૂર કરી છે.

By

Published : May 2, 2019, 12:02 PM IST

Updated : May 2, 2019, 12:54 PM IST

D.G.vanzara

વર્ષ 2004માં ઈશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસ મામલે આરોપી પૂર્વ પોલીસ અધિકારી ડી.જી. વણઝારા અને એન.કે. અમીન દ્વારા તેમની વિરૂદ્ધ કેસ ડ્રોપની માંગ કરતી અરજી સામે બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ ગુરૂવારે CBI કોર્ટના જજ જે .કે. પંડ્યાએ પૂર્વ IPS અધિકારી એન.કે અમીન અને ડી.જી. વણઝારાની ડિસ્ચાર્જ અરજી મંજૂર કરી હોવાની વિગતો સામે આવી છે.

CBI કોર્ટના જજ જે.કે પંડ્યાએ 15 હજાર રૂપિયા બોન્ડ પર વણઝારા અને એન.કે. અમીનની ડિસ્ચાર્જ અરજી મંજૂર કરી છે. CBI કોર્ટે નોંધ્યું કે, 2004માં જે એન્કાઉન્ટર કરવામાં આવ્યું તે રાષ્ટ્રના હીત માટે હતું અને જે કરવામાં આવ્યું એ તેમની ફરજની ભાગરૂપે કરવામાં આવ્યું હતું. કોર્ટના ચુકાદા બાદ વણઝારા અને તેમના સમર્થકોએ ફૂલ ઉડાડી ઉજવણી કરી હતી.

અગાઉ ઇશરતની માતા શમીમાં કૌસર દ્વારા કરવામાં આવેલી વાંધા અરજી પર વકીલ વૃંદા ગ્રોવરે દલીલ કરી હતી કે, સીઆરપીસીની કલમ 197 મુજબ પરવાનગી ન આપી રાજ્ય સરકાર આરોપીઓને છાવરી રહી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, સીઆરપીસીની કલમ 197 અને ડિસ્ચાર્જ અરજીને કોઈ સંબંધ નથી. આ કેસમાંથી ડિસ્ચાર્જ મેળવવા માટે આરોપીઓને નિર્દોષતા પુરવાર કરવાની જરૂર છે. આ મામલે સપ્લીમેન્ટરી ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી નથી.

રાજ્ય સરકારે CRPCની કલમ 197 મુજબ આરોપીઓ વિરૂદ્ધ કાનુની કાર્યવાહીની પરવાનગી ન આપી ડી.જી. વણઝારા, એન. કે. અમીનએ કેસ ડ્રોપ એટલે કે તેમને કેસમાંથી મુક્ત કરવામાં આવે એવી અરજી દાખલ કરી હતી. જેની સામે ઈશરત જહાંની માતા શમીમા કૌશરે વાંધો ઉઠાવ્યો હતો. શમીમા કૌશર દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાને કોર્ટે માન્ય રાખ્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન CBI કોર્ટમાં આરોપી ડી.જી. વણઝારા, એન.કે. અમીન તેમજ તરુણ બારોટ હાજર રહ્યા હતા.

આ કેસમાં બંને પોલીસ અધિકારીઓ વિરૂધ કોઈ પુરાવવા ન મળતાં રાજ્ય સરકારે પ્રોસિક્યુશન ચલાવવાની મંજૂરી આપી ન હતી. અગાઉ પણ કોર્ટે બંને પૂર્વ અધિકારીઓ દ્વારા કરાયેલી ડિસ્ચાર્જ અરજીને ફગાવી દીધી હતી અને પ્રોસિક્યુશન ચલાવવા અંગે CBIના અભિપ્રાયની માંગ કરી હતી.

વર્ષ 2004માં અમદાવાદના નરોડા વિસ્તાર પાસે મુંબઈની નતની ઈશરત જહાં, જાવેદ શેખ, અમજાદ અલી રાણા અને જિશાન જોહરની નકલી એન્કાઉન્ટરમાં હત્યા કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

Last Updated : May 2, 2019, 12:54 PM IST

ABOUT THE AUTHOR

...view details