ગુજરાત

gujarat

By

Published : Jan 10, 2021, 8:27 PM IST

Updated : Jan 10, 2021, 8:43 PM IST

ETV Bharat / state

કોરોનાના કેસમાં થઈ રહ્યો છે સતત ઘટાડો

ગુજરાત રાજ્યમાં સતત કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે રાજ્યમાં કોરોનાના 671 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો કોરોનાના કારણે 04 દર્દીઓના મોત નીપજ્યા છે. બીજી તરફ કોરોનાને મ્હાત આપનાર દર્દીઓની સંખ્યા પણ વધી છે. આજે રાજ્યમાં 806 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે.

કોરોનાના કેસમાં થઈ રહ્યો છે સતત ઘટાડો
કોરોનાના કેસમાં થઈ રહ્યો છે સતત ઘટાડો

  • છેલ્લા 24 કલાકમાં કોરોનાના 671 નવા કેસ
  • 24 કલાકમાં 806 દર્દી સાજા થયા
  • આજે કોરોનાએ 04 દર્દીઓનો લીધો ભોગ

અમદાવાદ : રાજ્યના આરોગ્ય વિભાગ દરરોજ કોરોનાને લઈ માહિતી આપવામાં આવે છે. સત્તાવાર જાહેર કરાયેલ આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 671 કેસ પોઝિટિવ આવ્યા છે, રાજ્યમાં કુલ 7829 કેસ એક્ટિવ છે.

કોરોનાના કેસમાં થઈ રહ્યો છે સતત ઘટાડો

ગુજરાતમાં રીકવરી રેટ 95.17 ટકા

છેલ્લા 24 કલાકમાં 801 દર્દીઓ નેગેટિવ થતા ડિસ્ચાર્જ અપાયો છે. અત્યાર સુધીમાં કુલ 2,39, 771 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. રાજ્યના અલગ અલગ જિલ્લામાં આજની તારીખે કુલ 4,86,492 વ્યક્તિઓને કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 4,86,375 વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઈન કરાયા છે અને બાકીના 117 વ્યક્તિઓને ફેસિલીટી ક્વોરૅન્ટીન કરાયા છે. જ્યારે હોસ્પિટલમાં 61 લોકો વેન્ટિલેટર પર છે અને 7,768 લોકો સ્ટેબલ છે.

Last Updated : Jan 10, 2021, 8:43 PM IST

ABOUT THE AUTHOR

...view details