ગુજરાત

gujarat

By

Published : Sep 19, 2019, 6:14 AM IST

ETV Bharat / state

અમદાવાદમાં CM રૂપાણી 851 કરોડના વિકાસ કામોનું કરશે લોકાર્પણ

અમદાવાદ: શહેરમાં 19 સપ્ટેમ્બરના રોજ વસ્ત્રાપુર તળાવ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે નર્મદા નીરના વધામણાં કરાશે. ત્યારબાદ S.P હૉસ્પિટલમાં NHL કૉલેજ અને ગર્લ્સ હૉસ્ટેલના લોકાપર્ણ સહિત 851 કરોડના વિકાસ કાર્યોનું લોકાપર્ણ કરવામાં આવશે.

etv bharat

વસ્ત્રાપુર તળાવ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે નર્મદા નીરના વધામણાં કરવામાં આવશે. ત્યારબાદ તેઓ મહાઆરતી મહાઆરતીમાં ભાગ લેશે.

સાંજે 6 કલાકે S.P હૉસ્પિટલમાં NHL કૉલેજ અને ગર્લ્સ હૉસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં ઘન કચરાના મેનેજમેન્ટ માટેના પિકર મશીન, 9 રોડ સ્વાઇપિંગ મશીનનું, 101 સ્પોટ ડમ્પ, ગાડીઓનો ફ્લેગ ઓફ કરવામાં આવશે. તેમજ વર્ષા ફ્લેટથી આંબેડકર બ્રિજ સુધીના 1300 મીટર લાંબા RCC રોડનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. આમ, 19 સપ્ટેમ્બરના રોજ મુખ્યપ્રધાન અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરી જનતા માટે ખુલ્લા મૂકશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા 851 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરશે

ABOUT THE AUTHOR

...view details