ગુજરાત

gujarat

By

Published : Apr 21, 2021, 12:30 PM IST

Updated : Apr 21, 2021, 8:25 PM IST

ETV Bharat / state

વિરમગામ APMCમાં થેલિસિમિયા દર્દીઓ માટે ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

ભારતીય જનતા પાર્ટી દ્વારા થેલિસિમિયાગ્રસ્ત બાળકોને લોહી મળી રહે તે હેતુસર વિરમગામમાં APMC ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિરમાં પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટ સહિતના ભાજપના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

વિરમગામ APMCમાં થેલિસિમિયા દર્દીઓ માટે ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
વિરમગામ APMCમાં થેલિસિમિયા દર્દીઓ માટે ભાજપ દ્વારા રક્તદાન કેમ્પવિરમગામ APMCમાં થેલિસિમિયા દર્દીઓ માટે ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો યોજાયો

  • ભાજપ દ્વારા વિરમગામ માર્કેટયાર્ડ ખાતે રકતદાન કેમ્પ યોજાયો
  • રક્તદાન શિબિરમાં ભાજપ નેતા પ્રશાંત કોરાટની ઉપસ્થિતિ
  • થેલિસિમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

વિરમગામ: APMC ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા થેલિસિમિયાગ્રસ્ત બાળકોને લોહી મળી રહે તે હેતુસર રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. આ રક્તદાન શિબિરમાં પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટ ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન શિબિર બાદ તેમને અને ભાજપના કાર્યકર્તાઓએ શિવ મહેલ સ્મશાન ગૃહની મુલાકાત લીધી હતી. સ્મશાનગૃહમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટેના લાકડાની અછત હોવાથી લોકોને સહભાગી થવા અપીલ કરી હતી. તેના અનુસંધાને, વિરમગામ તાલુકા પચાયત કારોબારી ચેરમેન મયુર ચાવડાએ ટ્રેક્ટરની ટોલી ભરી લાકડા સ્મશાનગૃહમાં આપી સહયોગી થયા હતા.

વિરમગામ APMCમાં થેલિસિમિયા દર્દીઓ માટે ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

આ પણ વાંચો:સુરતમાં 500થી વધુ યુવાનોએ કર્યુ રક્તદાન

થેલિસિમિયાના દર્દીઓ માટે રક્તદાન કેમ્પ

કોરોનાએ હાલના સમયમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે, બ્લડ કેમ્પના આયોજનો ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. આથી, દર્દીઓને લોહી મળવામાં ખૂબ જ મુશ્કેલી સર્જાય છે. ત્યારે, વિરમગામ APMCમાં થેલિસિમિયાના દર્દીઓ માટે ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો.

ભાજપના પદાધિકારીઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા

રક્તદાન શિબિરમાં પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટ, જિલ્લા યુવા મોરચા અધ્યક્ષ દિગ્વિજયસિંહ બારડ, અમદાવાદ જીલ્લા મહામંત્રી નવદીપસિંહ ડોડીયા, વિરમગામ શહેર પ્રમુખ નરેશ શાહ, વિરમગામ તાલુકા પ્રમુખ કિરીટસિંહ ગોહિલ, જિલ્લા સહ કન્વીનર દિપક ડોડીયા, વિરમગામ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન મયુર ચાવડા તેમજ વિરમગામ નગરપાલિકાના કાઉન્સિલર તેમજ, ભાજપના કાર્યકર્તાઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:બોટાદમાં રક્તની અછતને પુરી કરવા ડાયમંડ એસોસિએશને રક્તદાન કેમ્પ યોજ્યો

શિવ મહેલ સ્મશાન ગૃહની મુલાકાત લીધી

વર્તમાન પરિસ્થિતિથી મૃતદેહોના અંતિમ સંસ્કારને લઇને વિરમગામ શિવ મહેલ સ્મશાન ગૃહ માં લાકડાની અછત સર્જાતા લાકડા ની જરૂરિયાત ઊભી થતાં ટાઉન ક્લબના સભ્યો વતી સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી ત્યારે મહાનુભાવો શિવ મહેલ સ્મશાન ગૃહ ની મુલાકાત લીધી ત્યારે વિરમગામ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન મયુરભાઈ ચાવડાએ ટ્રેક્ટરની ટ્રોલી ભરી લાકડા શિવ મહેલ સ્મશાન ગૃહ મા આપી સેવાના કાર્યમાં સહભાગી થયા હતા.

Last Updated : Apr 21, 2021, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details