ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ રિવરફ્રન્ટ પર જનસભામાં અસદુદ્દીન ઓવૈસીના ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચાર કરવા માટે અસદુદ્દીન ઓવૈસી રવિવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે તેઓએ જનસભા કરી હતી. ઓવૈસીની સાથે મહેશ વસાવા પણ હાજર રહ્યા હતા. ઓવૈસીની જનસભામાં ખૂબ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.

By

Published : Feb 8, 2021, 7:16 AM IST

Updated : Feb 8, 2021, 9:44 AM IST

asaduddin owaisi
asaduddin owaisi

  • અસદુદ્દીન ઓવૈસીની રીવરફ્રન્ટ પર જનસભા
  • ઓવૈસીના BJP-કોંગ્રેસ પર પ્રહાર કર્યા
  • 21 બેઠકો જીતાડવા કરી અપીલ

અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામી રહ્યો છે. તમામ પાર્ટીઓ ચૂંટણી પ્રચાર કરી રહી છે. ત્યારે આ ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMની પણ એન્ટ્રી થઈ છે. ઉલ્લેખનીય છે કે, AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓવૈસી ગુજરાતના પ્રવાસે હતા. તેમણે ભરૂચ બાદ અમદાવાદમાં ચૂંટણી સભા યોજી હતી. આ સભામાં તેમણે ભાષણ આપતા ભાજપ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. આ સાથે તેમણે વર્ષ 2002ને પણ યાદ કર્યું હતું. અસદુદ્દીન ઓવૈસીના સ્વાગત માટે મોટી સંખ્યમાં કાર્યકરો હાઈવે પર ધસી આવ્યા હતા અને તેમનું સ્વાગત કર્યું હતું.

કોંગ્રેસમાં તાકાત નથી કે બીજેપીને હરાવી શકે

સભા પહેલા વારીસ પઠાણે કોંગ્રેસ અને અન્ય પાર્ટી પર પ્રહારો કર્યા હતા અને જણાવ્યું છે કે, 'અત્યાર સુધી આ લોકોએ આપણા માટે કઈ ન કર્યું. હવે આપણી પાર્ટી આવી ગઈ છે, જેથી તમામ લોકો સાથ આપજો' અને વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, 'કોંગ્રેસમાં તાકાત નથી તે BJPને હરાવે. હવે આ લોકોનો સમય પૂર્ણ થયો છે'

મારી ગુજરાતની સફર ચૂંટણી માટે નથી

અસદુદ્દીન ઓવૈસીએ જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતની આ સફર માત્ર ઈલેકશન પુરતી નથી. લોકો એવું વિચારે છે કે, હું માત્ર ચૂંટણી માટે આવ્યો છું પણ હું 2002માં 25 ડોક્ટરો અને 50 લાખની દવાઓ લઈને આવ્યો હતો. સરકારના મેડિકલ કેમ્પમાં ગુજરાત સરકારની દવાઓ હતી, તે દવા આઠ મહિના જૂની અને એક્સપાયરી ડેટવાળી હતી. 2002માં કરફ્યુ હતો. હું હૈદરાબાદથી ડોક્ટરો લઈને આવ્યો હતો. કોઈ એક મુસ્લિમ ફાઈવસ્ટાર હોટેલમાં આવ્યો હતો. શાહઆલમમાં મેડિકલ કેમ્પ લગાવ્યો હતો. બેથી ત્રણ દિવસ કેમ્પમાં 10,000 લોકો એવા હતા જેઓની તમામ વસ્તુ લૂંટાઈ ગઈ હતી. આ દરમિયાન અસદ્દુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, કોંગ્રેસ મોદી અને RSSથી ડરે છે. વડાપ્રધાનપદની ઈજ્જત કરીએ છીએ પણ મોદીથી ડરતા નથી.

અમદાવાદ રિવરફ્રન્ટ પર જનસભામાં અસદુદ્દીન ઓવૈસીના ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર

કોંગ્રેસ પાર્ટી મોદીથી ડરે છેઃ ઓવૈસી

અસદુદ્દીન ઓવૈસીએ પોતાના ભાષણમાં ફરી એકવાર ભાજપ અને કોંગ્રેસને આડેહાથ લીધા હતા અને જણાવ્યું હતું કે, જો કોંગ્રેસ લોકો માટે સારી હોત તો મારે હૈદરાબાદથી અહીંયા આવવાની જરુર ન હોત. આ કોંગ્રેસ પાર્ટી મોદીથી ડરે છે.

મારા કરતા વધુ સારો નેતા ઉભો થાય

અસદ્દુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે, ગુજરાતમાં અમે આવ્યા છીએ. અમે લોકોના દિલમાં પ્રેમ ઉભો કરવા આવ્યા છીએ. ગુજરાતમાં AIMIM આવ્યું છે ત્યારે આ માત્ર એક જ ચૂંટણી માટે નથી. દરેક ચુંટણીમાં અમે હોઈશું. લોકો પાસે એક જ માગ છે કે, બાળકો અને યુવાનોના ભવિષ્યનું ઉજ્જવળ થાય. હું ગુજરાત એટલા માટે આવ્યો છું કે, હું આંખ બંધ કરું એ પહેલાં ગુજરાતમાં મારા કરતા વધુ સારો નેતા ઉભો થાય. AIMIMને સપોર્ટ કરો, તમે અત્યાર સુધી અન્ય પાર્ટીઓને વોટ આપ્યા. વર્ષો સુધી આ પાર્ટીઓએ શું આપ્યું ? એક ગુજરાતી તરીકે વિચારો તમને શું મળ્યું?

ભાજપ અને કોંગ્રેસ પર ઓવૈસીના પ્રહારો

વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે, હિન્દુ નેશનલિઝમનો સામે સંવિધાન નેશનલિઝમથી થશે. સારુ કામ પોતાના ઘરેથી જ સારુ થાય છે. આ સાથે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. આ સાથે મોદી સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું કે, મોદી સરકારે રિવરફ્રન્ટ તો બનાવ્યું પણ મુસ્લિમ અને દલિત વિસ્તારોમાં કોઈ જ વિકાસ કર્યો નથી. અમદાવાદમાં એક તરફ રિવરફ્રન્ટ છે અને બીજી તરફ પીરાણા ડમ્પીંગ સાઈટ પણ છે. જે છેલ્લા કેટલા વર્ષોથી કોઈ પણ પાર્ટી ન કરી શકી છે તે હવે AIMIM કરી બતાવશે.

રાજ્યમાં અશાંતધારો કેમ?

અમદાવાદમાં હિન્દુ અને મુસલમાન અગલઅલગ રહે છે તો મોદી તેઓને કેમ મળાવતા નથી. ગુજરાતમાં મોદી સરકાર સબકા સાથ સબકા વિકાસની વાતો કરે છે પણ રાજયમાં અંશાતધારો કેમ છે? આ અશાંતધારો બંધારણની વિરુદ્ધ છે. આ સાથે અસદુદ્દીન ઓવૈસીએ કિસાનો પર મુદ્દો ઉઠાવ્યો હતો અને જણાવ્યુ હતુ કે દિલ્હીમાં કિસાનો છેલ્લા અઢી મહિનાથી લડે છે, પરતું સરકાર દ્વારા કોઈ સહાય આપવાની જાહેરાત કરવામાં આવી નથી.

AIMIMના 21 ઉમેદવારને જીતાડજો

વિધાનસભામાં પણ ઉમેદવાર ઉભા થશે, તમારા સાથની જરૂર છે. તમે એક થઈ જાઓ, એક દીવાલ બની જાઓ તો તમામ તાકાત તમારી સામે ઝૂકી જશે અને તમારું કામ કરશે. આ ત્યારે થશે જ્યારે 21 ઉમેદવારને જીતાડશો. માત્ર આ અમદાવાદ, ગોધરા ચૂંટણી સુધી જ નથી. ઈશારા ઈશારામાં તેમણે કહ્યું કે, કોંગ્રેસ મોદી અને RSSથી ડરે છે. વડાપ્રધાનપદની ઈજ્જત કરીએ છીએ પણ મોદીથી ડરતા નથી.

Last Updated : Feb 8, 2021, 9:44 AM IST

ABOUT THE AUTHOR

...view details