ગુજરાત

gujarat

By

Published : Jul 10, 2019, 9:11 AM IST

ETV Bharat / state

મોબ લિંચિંગની ઘટનાના વિરુદ્ધમાં રાજ્યભરમાં VHPએ કર્યો ઠેર ઠેર વિરોધ

અમદાવાદ: દિલ્હીમાં બનેલી મંદિર તોડવા અને મોબ લિંચિંગની ઘટનાને લઈને વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, તેમના દ્વારા અમદાવાદ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું. અમદાવાદ સહિત 75 જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવ્યા છે.

મોબ લિંચિંગની ઘટનાના વિરુદ્ધમાં રાજ્યભરમાં વિહીપે આપ્યા આવેદન પત્ર

8 જૂને દિલ્હીમાં વિધર્મીઓ દ્વારા મંદિરમાં હુમલો કરીને મૂર્તિઓ તોડવામાં આવી હતી. મોબ લિંચિંગના વિરોધના નામે ઠેરઠેર હિન્દુઓ તેમજ પોલીસ પર હુમલાઓની ઘટનાઓ વધી રહી છે.જેના વિરોધમાં બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત દ્વારા રાજ્યવ્યાપી વિરોધ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ગુજરાતના મુખ્ય શહેરો વડોદરા, રાજકોટ, સુરત, મહેસાણા, ભાવનગર જિલ્લા અને તાલુકા સ્તરે કુલ 75 સ્થળોએ વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

મોબ લિંચિંગની ઘટનાના વિરુદ્ધમાં રાજ્યભરમાં વિહીપે આપ્યા આવેદન પત્ર

ABOUT THE AUTHOR

...view details