ગુજરાત

gujarat

By

Published : Sep 3, 2020, 3:50 AM IST

ETV Bharat / state

અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાના નવા 20 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 1848 થઈ

અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમા તેની અસર જોવા મળી રહી છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બુધવારે સાંજ સુધીમાં નવા 20 કેસ નોંધાતા કુલ આંકડો 1848 પર પહોંચ્યો છે. નોંધનીય છે કે, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આંકડામાં અમદાવાદ શહેરના આંકડા સામેલ કરવામાં આવ્યા નથી. આ સાથે જ અમદાવાદ જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં કોરોના પોઝિટિવનો આંકડો 400ને વટાવી ગયો છે.

corona
અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાના નવા 20 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 1848 થઈ

અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાના નવા 20 કેસ નોંધાયા

  • ગ્રામ્યમાં કોરોનાના કુલ કેસ 1848
  • કોરોનાથી 58 દર્દીઓના મોત
  • ધોળકામાં કુલ 429 અને સાણંદમાં કુલ 424 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
  • દસક્રોઈમાં 293, બાવળામાં 212 કુલ કેસ, ધંધુકામાં 142, વિરમગામમાં 206, માંડલ તાલુકામાં 78 કોરોનાના કેસ

અમદાવાદઃ શહેરની સાથે સાથે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બુધવારે સાંજ સુધીમાં નવા 20 કેસ નોંધાતા કુલ આંકડો 1848 પર પહોંચ્યો છે. જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 429 અને સાણંદમાં 414 નોંધાયા છે, જે કુલ કેસના લગભગ 50 ટકા જેટલા થાય છે.

જિલ્લાના દસક્રોઈમાં 293 જ્યારે બાવળામાં 212 કુલ કેસ નોંધાયા છે. હવે મૂળ ધોળકા અને સાણંદમાં કોરોના ફેલાઈ રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના ધંધુકામાં 142, વિરમગામમાં 206, બાવળામાં 212 અને માંડલ તાલુકામાં 78 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

જિલ્લામાં કોરોનાથી 58 દર્દીઓના મોત નીપજ્યાં છે. અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે, જેમાં 1.24 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 28 હજાર જેટલા ઘરોનું સર્વિલાન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે.

ધોળકામાં 429 અને સાણંદમાં 424 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details