અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાના નવા 20 કેસ નોંધાયા
- ગ્રામ્યમાં કોરોનાના કુલ કેસ 1848
- કોરોનાથી 58 દર્દીઓના મોત
- ધોળકામાં કુલ 429 અને સાણંદમાં કુલ 424 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- દસક્રોઈમાં 293, બાવળામાં 212 કુલ કેસ, ધંધુકામાં 142, વિરમગામમાં 206, માંડલ તાલુકામાં 78 કોરોનાના કેસ
અમદાવાદઃ શહેરની સાથે સાથે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બુધવારે સાંજ સુધીમાં નવા 20 કેસ નોંધાતા કુલ આંકડો 1848 પર પહોંચ્યો છે. જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 429 અને સાણંદમાં 414 નોંધાયા છે, જે કુલ કેસના લગભગ 50 ટકા જેટલા થાય છે.
જિલ્લાના દસક્રોઈમાં 293 જ્યારે બાવળામાં 212 કુલ કેસ નોંધાયા છે. હવે મૂળ ધોળકા અને સાણંદમાં કોરોના ફેલાઈ રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના ધંધુકામાં 142, વિરમગામમાં 206, બાવળામાં 212 અને માંડલ તાલુકામાં 78 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.