નવી દિલ્હીઃ ભારતીય ઑલિમ્પિક એસોસિએશને ટોક્યો ઑલિમ્પિક્સ 2020ને એક વર્ષ માટે મુલતવી રાખવાના નિર્ણયને આવકાર્યો છે. તેમજ લોકડાઉન સમાપ્ત થયા પછી ખેલાડીઓ સાથે મિટિંગ કરવામાં આવશે. જે બાદ રાષ્ટ્રીય ખેલ મહાસંધ (NFS)શેર હોલ્ડરો સાથે પણ બેઠક કરશે.
ભારતીય ઑલિમ્પિક એસોસિએશને ઓલિમ્પિકને સ્થિર રાખવાના નિર્ણયને આવકાર્યો, લોકડાઉન બાદ ખેલાડીઓને મળશે
ભારતીય ઓલિમ્પિક એસોસિએશને કહ્યું કે, તે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતી (IOC)ના નિર્ણયને આવકારે છે. લોકડાઉન બાદ તે બધા ખેલાડીઓ સાથે મિટિંગ કરશે.
IOCએ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, IOA એ IOCના નિર્ણયનુ સ્વાગત કર્યુ છે. આ નિર્ણય લેતા પહેલા ICOએ આયોજન કર્તા અને શેર હોલ્ડરો સાથે ચર્ચા કરી હતી. લોકડાઉન સમાપ્ત થયા પછી IOA ખેલાડીઓ, મહાસંધ અને શેર હોલ્ડરો સાથે બેઠક બાદ આગામી આયોજન અંગે ચર્ચા કરશે. આજનો આ નિર્ણયથી અમારા એથ્લેટ્સ રાહત અનુભવશે, જેઓ ડર અને ચિંતાઓ વચ્ચે તૈયારીઓમાં વ્યસ્ત હતા.
આ પહેલા ટોકિયા ઑલમ્પિક 2020ને એક વર્ષ માટે મોકૂફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જાપાનના વડાપ્રધાન શિંજોઆબેએ મંગળવારે IOC સાથે મળેલી મિટિંગ બાદ ખેલ મહાકુંભને 2021 સુધી માકુફ રાખવા તૈયાર થઈ ગયા છે. IOCના અધ્યક્ષ થોમસ બાકે સંયુક્ત પરિષદમાં જણાવ્યું હતું કે, 2020 પછી 2021 ઉનાળા સુધી રમતોને ફરીથી શેડ્યૂલ કરવાની મંજૂરી આપી દેવાઈ છે. બીજા વિશ્વયુદ્ધ પછી આ પહેલી વખત બન્યું છે કે ઑલિમ્પિક રમતો મુલતવી રાખવાની ફરજ પડી છે.