નવી દિલ્હીઃ હોકી ઈન્ડિયાએ કોરોના વાઇરસ મહામારી વિરુદ્ધ લડાઇમાં પ્રધાનમંત્રી રાહત ભંડોળમાં 25 લાખ રૂપિયાના યોગદાનનો નિર્ણય લીધો છે.
હોકી ઈન્ડિયાના અધ્યક્ષ મોહમ્મદ મુશ્કાત અહમદે બુધવારે એક નિવેદનમાં કહ્યું કે, સંકટના આ વિકટ સમયમાં એકજુટ થઇને જવાબદાર નાગરિકોને પોતાના કર્તવ્યોનું પાલન કરવાની જરૂર છે. હોકી ઈન્ડિયા કાર્યકારી બોર્ડે પ્રધાનમંત્રી રાહત ભંડોળમાં 25 લાખ રૂપિયાનું યોગદાન આપવાનો સર્વસમ્મતિથી નિર્ણય લીધો છે.
તેમણે કહ્યું કે, દેશના લોકો પાસેથી હોકીને હંમેશા પ્રેમ અને સમર્થન મળ્યું છે અને અમે આપણા દેશના નાગરિકોને આ મહામારીમાં વિજેતાના રૂપે જોવા માટે અમારાથી થતું બધું કરવા તૈયાર છીંએ.