ગયા વર્ષે શો 'કોફી વિથ કરણ'માં આપેલા નિવેદનોને કારણે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફસાયા હતા, જ્યારે હવે પહેલીવાર મૌન તોડ્યું છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિકએ પહેલીવાર આ બાબતે સ્પષ્ટતા કરી છે, તેને કહ્યું, ક્રિકેટર તરીકે અમને ખબર ન હતી કે શું થવાનું છે.
રાહુલ અને હાર્દિકની ટિપ્પણી પર ખૂબ વિવાદ આવી હતી, જેના કારણે ઓસ્ટ્રેલિયા ટૂર પરથી તેમને ભારત પાછા બોલાવી લેવામાં આવ્યા હતા. તેઓ ઓસ્ટ્રેલિયા સામેની વન ડે સીરિઝ રમી શક્યા ન હતા.