મુંબઈ: શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે રવિવારના રોજ બ્લાસ્ટ થયો જેમાં અત્યાર સુધીમાં 207 લોકો માર્યા ગયા છે. આ બ્લાસ્ટને કારણે બોલીવૂડ સ્ટાર્સ જેમ કે, જૈક્લીન ફર્નાડીસ, શેખર કપૂર અને વિવેક આનંદ ઓબેરોયે આ બ્લાસ્ટને કાયરતાનું રુપ કહી બ્લાસ્ટની નિંદા કરી છે.
અભિનેત્રી જૈક્લીન ફર્નાડીસે ટ્વિટ કરીને કહ્યું કે, 'ખુબ જ દુ:ખની વાત છે. આ હિંસા પર ખરેખર પગલા લેવાની જરુર છે'
શેખર કપૂરે કહ્યું કે, 'ઈસ્ટર ના દિવસે આ દુ:ખદ ઘટના છે. આતંકવાદ આપણો પ્રથમ વૈશ્વિક દુશ્મન છે. કોઈ પણ કયાંય સુરક્ષિત નથી'
અર્જુન કપૂરે કહ્યું કે, 'શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે થયેલા હુમલા વિશે સાંભળીને ખરેખર દુ:ખી છું '
હુમા કુરેશીએ કહ્યું કે, 'કેટલો દુ:ખદ દિવસ છે ! રવિવારે ઈસ્ટરના દિવસે ચર્ચમાં ગયેલા પરીવાર તેમજ બાળકો પર હુમલો થયો. આ ભયાનક છે. શું થઈ રહ્યું છે સંસારમાં '
મધુર ભંડારકરે કહ્યું કે, 'માસૂમ નાગરિકો પર હુમલોએ આતંકીઓના શર્મનાક હરકત છે. મારી સંવેદના તેઓની સાથે છે જેણે પોતાનો જીવ ગૂમાવ્યો છે અને શ્રીલંકામાં બધા જ નાગરિકોની સુરક્ષા માટે પ્રાર્થના કરુ છું'
વિવેક આનંદ ઓબેરોયે લખ્યું કે, 'શ્રીલંકામાં થયેલા હુમલાને લઈને ખુબ જ દુ:ખી તેમજ આશ્ચર્યચકિત છું. પ્રાર્થનાનાં આ અવસર પર આવી કાયરતા જેવી હરકત કરવા પર આતંકીઓને શરમ આવવી જોઈએ.'
અભિનેતા વિક્કી કૌશલે કહ્યું કે, 'શ્રીલંકા માટે પ્રાર્થના'
આના સિવાય અનુષ્કા શર્મા, બોમન ઈરાની, સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા સિતારાઓએ પણ ટ્વિટ કરીને પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી છે.