ગુજરાત

gujarat

માન્યતાએ સંજયના ચાહકોનો માન્યો આભાર, કહ્યું- મુંબઈમાં થશે પ્રાથમિક સારવાર

સંજય દત્તના ચાહકોનો નેની પત્નિ માન્યતાએ આભાર માન્યો છે. સંજય દત્ત ફેફસાંના કેન્સરથી પીડાઇ રહ્યાં છે અને હાલ કોકીલાબેન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

By

Published : Aug 19, 2020, 9:45 AM IST

Published : Aug 19, 2020, 9:45 AM IST

માન્યતા સંજય
માન્યતા સંજય

મુંબઇ: બોલિવૂડ અભિનેતા સંજય દત્તની પત્ની માન્યતા દત્તે એક નિવેદન જાહેર કરીને સંજુના ચાહકોને તેમની પ્રાર્થના બદલ આભાર માન્યો છે. માન્યતા દત્તે પોતાના નિવેદનમાં કહ્યું કે, "દરેક સંજુ ચાહકો અને શુભેચ્છકો, તમે સંજુને આટલા વર્ષોથી આપેલા પ્રેમ અને સ્નેહ માટે હું તમારો આભાર તો માની શકતી નથી. સંજુના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે, પરંતુ એક વસ્તુ કે, જે તેના મુશ્કેલ સમયમાં ક્યારેય હારવા નથી દીધી તે તમારો પ્રેમ અને સપોર્ટ છે. "

આ માટે હું તમારી હંમેશા માટે આભારી રહીશ. હવે અમારી સામે ફરી એક પડકાર આવ્યો છે અને મને આશા છે કે તમારો પ્રેમ અને લાગણી જોવા મળશે.

માન્યતાએ કહ્યું કે, એક પરિવારના રુપમાં અમે પોઝિટિવ એનર્જી સાથે આ પડકારનો સામનો કરવાનું નક્કી કર્યું છે. અમે અમારી જીંદગી એવી જ રીતે જીવશું. જેવી પહેલા જીવતા હતા. કારણ કે આ એક મુશ્કેલ લડાઇ અને લાંબી યાત્રા થવાની છે.

માન્યતાએ કહ્યું કે, "આપણે સંજુ માટે કોઈપણ પ્રકારની નકારાત્મકતા આવવા દીધા વગર આ કરવાની જરૂર છે, જ્યારે સમય આપણને અજમાવી રહ્યો છે, ત્યારે કમનસીબે હું હોસ્પિટલમાં તેની સાથે રહી શકતી નથી. મારુ હોમ ક્વોરેન્ટાઇન થોડા દિવસોમાં સમાપ્ત થવા જઈ રહ્યું છે. દરેક યુદ્ધમાં એક ધ્વજ ધારણ કરનાર હોય છે અને કિલ્લાને બચાવી શકે. "

ઉલ્લેખનીય છે કે, સંજય દત્ત ફેફસાંના કેન્સરથી પીડાઇ રહ્યાં છે અને હાલ કોકીલાબેન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ABOUT THE AUTHOR

...view details