ગુજરાત

gujarat

By

Published : Apr 29, 2020, 8:45 PM IST

ETV Bharat / sitara

રાષ્ટ્રપતિ અને ગૃહપ્રધાને ઇરફાનના નિધન પર શોક વ્યક્ત કર્યો, કહ્યું - સિનેમા જગત માટે મોટું નુકસાન

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાનનું બુધવારે અવસાન થયું છે. તેમણે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનને કારણે ફિલ્મ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ સાથે જ રાષ્ટ્રપતિએ પણ શોક વ્યક્ત કરતાં કહ્યું કે, આ સિનેમા જગત માટે એક મોટું નુકસાન છે.

રાષ્ટ્રપતિ અને ગૃહપ્રધાને ઇરફાનના નિધન પર શોક વ્યક્ત કર્યો
રાષ્ટ્રપતિ અને ગૃહપ્રધાને ઇરફાનના નિધન પર શોક વ્યક્ત કર્યો

મુંબઇ: રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે બુધવારે જાણીતા ફિલ્મ અભિનેતા ઇરફાન ખાનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેને સિનેમાની દુનિયા માટે એક મોટું નુકસાન ગણાવ્યું હતું.

રાષ્ટ્રપતિએ ટ્વિટ કરીને લખ્યું કે, 'જાણીતા અભિનેતા ઇરફાન ખાનના અવસાનથી ખુબ દુખ થયું. તે એક સમૃદ્ધ કલાકાર હતોા, તેમની વિવિધ ભૂમિકાઓની છાપ હંમેશાં આપણા હૃદયમાં બંધાયેલી રહેશે. તેમનું મૃત્યુ સિને દુનિયા અને અગણિત પ્રશંસકો માટે એક ન ભરવાપાત્ર નુકસાન છે. તેમના કુટુંબ અને પ્રિયજનો પ્રત્યે મારી સંવેદનાઓ.

કેન્દ્રીય ગૃહપ્રદાન અમિત શાહે પણ ઇરફાન ખાનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું, 'ઇરફાન ખાનના નિધનના દુ:ખદ સમાચારથી હું દુ:ખી છું. તે એક બહુમુખી અભિનેતા હતા જેમની કળાએ વૈશ્વિક ખ્યાતિ અને ઓળખ મેળવી હતી. તેમણે કહ્યું કે, ઇરફાન ફિલ્મ જગતની એક 'સંપત્તિ' છે અને 'રાષ્ટ્ર તેના રૂપમાં એક અસાધારણ અભિનેતા ગુમાવી ચૂક્યો છે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના.

ઇરફાને લગભગ 30 વર્ષથી બોલિવૂડ અને હોલીવુડ ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો છે. ઇરફાનની છેલ્લી ફિલ્મ 'ઇંગ્લિશ મીડિયમ' હતી. 'નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા' માં અભ્યાસ કર્યા પછી ઇરફાન મુંબઈ ચાલ્યો ગયો. લંડનમાં, ઇરફાન ખાને સારવાર દરમિયાન ખૂબ ભાવનાત્મક પત્ર લખ્યો હતો, જે વર્ષ 2018 માં એક અખબારમાં પ્રકાશિત થયો હતો. તેમને કહેવામાં આવ્યું હતું કે તેમને ન્યુરોએંડ્રોક્રાઇન કેન્સર છે.

ABOUT THE AUTHOR

...view details