ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ફિલ્મમેકર સુધિર મિશ્રાના પિતાનું નિધન, બૉલીવૂડ સ્ટાર્સે શોક વ્યક્ત કર્યો

ફિલ્મમેકર સુધિર મિશ્રાના પિતા ડૉ. દેવેન્દ્ર નાથ મિશ્રાએ આજે એટલે કે ગુરૂવારે અંતિમ શ્વાસ લીધા છે. આ અંગે ફિલ્મ નિર્માતાએ સોશિયલ મીડિયા પર પોતાની વેદના જણાવી માહિતી શેર કરી હતી. આ સમાચાર સાંભળતા જ અનેક બૉલીવૂડ સ્ટાર્સે દેવેન્દ્ર નાથ મિશ્રાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

By

Published : Apr 2, 2020, 8:01 PM IST

bollywood
bollywood

મુંબઈઃ ફિલ્મ નિર્માતા સુધીર મિશ્રાના પિતા ડો.દેવેન્દ્ર નાથ મિશ્રાનું સવારે અવસાન થયું છે. સુધીર મિશ્રાએ ટ્વિટ કરીને તેમના પિતાના નિધન અંગે માહિતી આપી હતી. ત્યારબાદ ઘણા બોલિવૂડ સેલેબ્સે ટ્વીટ કરીને પોતાનો શોક વ્યક્ત કર્યો હતો.

સુધીર મિશ્રાએ ટ્વિટ કરી લખ્યું કે, "આજે સવારે મારા પિતા ડો.દેવેન્દ્ર નાથ મિશ્રાનું અવસાન થયું છે, લખનઉનો એક છોકરો, ગણિતશાસ્ત્રી અને તે પછી ગણિતશાસ્ત્રના પ્રોફેસર, સાગર યુનિવર્સિટી, સંયુક્ત શિક્ષણ સલાહકાર, શિક્ષણ મંત્રાલય, નાયબ નિયામક સીએસઆઈઆર, એમપી સાઈન્સ તકનીકીના વડા અને બીએચયુના કુલપતિ."

સુધીરના આ ટ્વિટ પછી બૉલીવૂડના અનેક સ્ટાર્સે તેમના દુખમાં ભાગ લઈ સોશિયલ મીડિયાના માધ્યમથી શોક વ્યક્ત કર્યો છે. સોની સૂદ, નિખિલ અડવાણી, હંસલ મહેતા જેવી અનેક ફિલ્મ હસ્તીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

મહત્વનું છે કે,સુધીર મિશ્રા એક સફળ ફિલ્મમેકર છે. તેમના નિર્દેશન હેઠળ 'હજારો ખ્વાહિશે ઐસી', 'ધારાવી' અને 'ચમેલી' જેવી અનેક ફિલ્મો બની છે. તેમજ સુધીર મિશ્રાએ ત્રણ નેશનલ અવોર્ડ પોતાને નામ કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details