- બોલીવુડ અભિનેતા આર. માધવન કોરોનાની ઝપેટમાં
- થોડા દિવસ પહેલા આમિર ખાન પણ થયા કોરોના સંક્રમિત
- ટૂંક સમયમાં સાજા થઈને પરત ફરવાની માધવને કહી વાત
આ પણ વાંચોઃવડાપ્રધાન મોદીએ ઈમરાન ખાનને જલ્દીથી કોરોના મુક્ત થવાંની શુભેચ્છા પાઠવી
મુંબઈઃ બોલીવુડ અભિનેતા આર. માધવન હવે કોરોના સંક્રમિત થયા છે. આર. માધવને ફિલ્મ 3 ઈડિયટ્સના ઉલ્લેખ સાથે ટ્વિટ કરી આ માહિતી આપી હતી. માધવને ટ્વિટમાં જણાવ્યું હતું કે, ફરહાનને રેન્ચોનો પીછો કરવો જ હતો. વાયરસ હંમેશા અમારી પાછળ હતો અને આ વખતે અમે તેની ઝપેટમાં આવી જ ગયા, પરંતુ ચિંતાની કોઈ વાત નથી. ટૂંક જ સમયમાં સાજા થઈને પરત આવીશ. હાલમાં થોડા દિવસ પહેલા જ આમિર ખાન પણ કોરોના સંક્રમિત થયા છે.