મુંબઈ : બૉલીવૂડ એક્શન ડાયરેક્ટર પરવેઝ ખાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. તેમની ઉંમર 55 વર્ષની હતી. શ્રીરામ રાધવનની સાથે સુપરહિટ ફિલ્મ અંધાધૂન અને બદલાપુરમાં પણ કામ કરી ચૂક્યા છે. પરવેઝાની સાથે લાબા સમયથી કામ કરી રહેલા નિશાંત ખાને કહ્યું કે, પરવેઝ છેલ્લા કેટલાક દિવસોથી બિમાર હતા. ત્યારબાદ તેમને મુંબઈની રુબી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે.
નિશાંતે કહ્યું કે, તેમનું મોત હાર્ટ એટેકથી થયું છે. ફિલ્મમેકર હંસલ મહેતા, પરવેઝ ખાનની સાતે ફિલ્મ શાહિદમાં કામ કરી ચૂક્યા છે. વર્ષ 2013માં આવેલી ફિલ્મમાં રાજકુમાર રાવે મુખ્યભુમિકા નિભાવી હતી. આ સાથે શાહિદ ફિલ્મમાટે તેમને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે.