ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સુશાંતના સન્માનમાં ફિલ્મ નિર્માતા અભિષેક કપૂર અને તેની પત્ની 3400 પરિવારને ભોજન પુરૂં પાડશે

અભિષેક અને પ્રજ્ઞા કપૂરે સ્વર્ગીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના સન્માનમાં ચેરિટી પ્રોગ્રામ શરુ કર્યો છે, જેને પ્રજ્ઞાના NGO એક સાથઃ ધ અર્થ ફાઉન્ડેશન દ્વારા આયોજીત કરવામાં આવશે. તેના દ્વારા 3400 ગરીબ પરિવારોને જમવાનું આપવાની યોજના છે.

By

Published : Jun 17, 2020, 11:36 AM IST

Etv Bharat, Gujarati News, Abhishek Kapoor, Sushant Singh Rajput
Abhishek and Pragya Kapoor charity tribute to Sushant Singh Rajput

મુંબઇઃ ફિલ્મ નિર્માતા અભિષેક કપૂર અને તેની પત્ની પ્રજ્ઞા કપૂર સ્વર્ગસ્થ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને સન્માન આપવા 3400 પરિવારને ભોજન પુરું પાડશે.

પ્રજ્ઞાએ આ વિશે જણાવ્યું હતું કે, તેમનું(સુશાંત) અને તેના કામનું સમ્માન કરવાની આ અમારી રીત છે, જે પણ થયું અને કરવામાં આવ્યું, તેનો અને તેની માન્યતાઓની ઉજવણી કરવા માટે. મિત્ર તરીકે આ અમને એક સાથે જોડાયેલા રાખશે.

સુશાંતે પોતાનુ બૉલિવૂડ ડેબ્યુ વર્ષ 2013માં અભિષેક કપૂરની 'કાય પો છે!' કર્યુ હતુ. જે બાદ અભિનેતા- ફિલ્મ નિર્માતાએ વર્ષ 2018ની 'કેદારનાથ'માં પણ કામ કર્યું હતું. જેમાં સારા અલી ખાન ફીમેલ લીડમાં હતી.

15 જૂને મુંબઇમાં થયેલા સુશાંતના અંતિમ સંસ્કારમાં અભિષેક અને પ્રજ્ઞા પણ સામેલ થયા હતા.

સુશાંતના નિધન પર દુઃખ વ્યક્ત કરતા અભિષેકે સોશિયલ મીડિયા પર તેને 'ઇન્ટરસ્ટેલર' કહ્યું હતું. હું મારા મિત્રને ગુમાવવા પર ખૂબ જ દુઃખી છું. અમે સાથે બે ખાસ ફિલ્મો બનાવી હતી. તે દરિયાદિલ અને શાનદાર અભિનેતા હતો, જે પોતાના કેરેક્ટર્સમાં જીવ નાખવા માટે ખૂબ જ મહેનત કરતો હતો. હું તેના પરિવાર માટે પ્રાર્થના કરું છું. જેના માટે આ સૌથી મોટું નુકસાન છે. તેનું વિજ્ઞાનમાં ખૂબ જ મન લાગતું હતું અને જેણે તેને આપણાથી છીનવી લીધો છે, તે આ યુનિવર્સની ઉપર છે. તારી યાદ આવશે ભાઇ. ઇન્ટરસ્ટેલર બન્યો રહે.

આ ચેરિટી પ્રોગ્રામ સુશાંતના સમ્માનમાં શરુ કરવામાં આવ્યો છે અને જેને પ્રજ્ઞાના એનજીઓની એક સાથઃ ધ અર્થ ફાઉન્ડેશન સંચાલિત કરશે.

સુશાંતે 14 જૂને અંતિમ શ્વાસ લીધા હતા. તે મુંબઇમાં પોતના ઘરે લટકેલી હાલતમાં મળી આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details