નવી દિલ્હીઃ ભારત અંતરિક્ષમાં મોટી છલાંગ લગાવવાની (Lunar Mission of India) તૈયારી કરી રહ્યું છે. અંતરિક્ષ વિભાગે આ વર્ષે 19 મિશનનું આયોજન કર્યું છે. ચંદ્ર પરના ભારતના મિશનનો આગળનો (Lunar Mission of India) તબક્કો ચંદ્રયાન-3 ઓગસ્ટ 2022 માટે સુનિશ્ચિત (Chandrayaan 3 scheduled for launch in August 2022) થયો છે. કેન્દ્રિય અંતરિક્ષ પ્રધાન ડો. જિતેન્દ્ર સિંહે લોકસભામાં (In the Lok Sabha Union Space Minister Dr. Jitendra Singh) એક લેખિત પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી.
આ પણ વાંચો-WhatsApp પર ડિલીટ ફોર એવરીવન કરવા માટે વધુ સમય મળશે, મેસેન્જરની જેમ નવા ઈમોજી ઉપલબ્ધ થશે
કેન્દ્રિય અંતરિક્ષ પ્રધાને લોકસભામાં રજૂ કર્યો જવાબ
અંતરિક્ષ વિભાગે એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, ચંદ્રયાન 3 પર ચંદ્રયાન 2 મિશનમાંથી મળેલી માહિતી અને નિષ્ણાતોના સૂચનોના આધારે કામ ચાલી રહ્યું છે. કેન્દ્રીય અંતરિક્ષ પ્રધાન ડો. જિતેન્દ્ર સિંહે એક લેખિત પ્રશ્નના (In the Lok Sabha Union Space Minister Dr. Jitendra Singh) જવાબમાં જણાવ્યું હતું કે, ચંદ્રયાન 2માંથી શિખવા અને રાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલા સૂચનોના આધારે ચંદ્રયાન 3 પર કામ (Work on Chandrayaan 3) ચાલી રહ્યું છે. કેટલાક સંબંધિત હાર્ડવેર અને તેમના વિશિષ્ટ પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે અને તેનું લોન્ચિંગ ઓગસ્ટ 2022માં (Chandrayaan 3 scheduled for launch in August 2022) નિર્ધારિત છે.
આ પણ વાંચો-ગુજરાતમાં મંગળ પર મળતા કણો જેવો પદાર્થ મળી આવ્યો: નાસાના વૈજ્ઞાનિકો DNA ટેસ્ટ કરી શોધશે સંબંધ