ગુજરાત

gujarat

ETV Bharat / international

Modi-Putin Talk : PM મોદી અને પુતિન વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓના સુરક્ષિત વાપસીને લઈને થઈ વાતચીત

યુક્રેનમાં રશિયન (Ukraine Russia invasion) હુમલા તેજ થયા છે અને ભારતીય વિદ્યાર્થીઓના પરત ફરવાનો મુદ્દો વધુને વધુ મુશ્કેલ બની રહ્યો છે. અહેવાલો અનુસાર રશિયાએ ભારતીય વિદ્યાર્થીઓ માટે યુક્રેન છોડવાની સમયમર્યાદા નક્કી કરી છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi talks to Russian President) રશિયન રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાતચીત કરી હતી.

By

Published : Mar 3, 2022, 6:57 AM IST

Modi-Putin Talk : PM મોદી અને પુતિન વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓના સુરક્ષિત વાપસીને લઈને થઈ વાતચીત
Modi-Putin Talk : PM મોદી અને પુતિન વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓના સુરક્ષિત વાપસીને લઈને થઈ વાતચીત

નવી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi talks to Russian President) અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin) વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષિત વાપસીને લઈને ટેલિફોનિક વાતચીત થઈ હતી. બંને નેતાઓએ યુક્રેનની સ્થિતિની સમીક્ષા કરી હતી, ખાસ કરીને ખાર્કિવમાં જ્યાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે, તેમની સાથે ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ ભારતીય નાગરિકોના સુરક્ષિત સ્થળાંતર અંગે ચર્ચા કરી હતી.

આ પણ વાંચો:ભારત પર 500 ટન વજનનું ISS છોડવાની ધમકી! યુદ્ધ વચ્ચે રશિયન ધમકીઓની અસરો શું?

PM મોદીએ ફરી એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

રશિયા અને યુક્રેન (Ukraine Russia invasion) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi convenes high level meeting) બુધવારે સાંજે ફરી એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. વડાપ્રધાનની યુક્રેન સંકટ પર આ ત્રીજી ઉચ્ચ સ્તરીય બેઠક હતી. સંયુક્ત રાષ્ટ્રમાં યુક્રેનના રાજદૂત સર્ગેઈ કિસલિત્સ્યાએ કહ્યું કે, યુક્રેનને ખાર્કિવમાં રશિયન સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવેલા આ ગોળીબારનો શિકાર બનવાનું યુક્રેનને ખૂબ જ દુઃખ છે. અમે ભારત અને પીડિતોના પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.

આ પણ વાંચો:સિંધિયા રોમાનિયાના રાજદૂતને મળ્યા, ભારતીયોના સ્થળાંતર મુદ્દાઓ પર કરી ચર્ચા

ABOUT THE AUTHOR

...view details