ઓટ્ટાવા: શુક્રવારે કેનેડાના PMOએ એક નિવેદન જાહેર કર્યું હતું. જેમાં આ વાતની જાણકારી આપવામાં આવી હતી. નિવેદનમાં કેહવામાં આવ્યું કે, વડાપ્રધાન ટુડોની તબિયત ઠીક છે અને તેમનામાં કોરોના વાયરસના લક્ષણોનો નથી.
સોફી ટુડોને પણ અલગથી 14 દિવસ સુધી આઇસોલેશનમાં રાખવામાં આવશે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. કેનેડાના વડાપ્રધાનને પોતાના ઘરમાં દેખરેખમાં રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કેનેડામાં કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યાં છે. જેથી વડાપ્રધાન ટુડોએ ઘરે થી કામ કરવાનું શરુ કરી દીધું છે. જસ્ટિન ટુડો સતત પોતાના ઘરમાંથી વીડિયો કોન્ફરન્સિંગથી બેઠક કરી રહ્યાં છે. શુક્રવારે જસ્ટિન ટુડોએ દેશને સંબોધન કર્યું હતું.
નોંધનીય છે કે, દુનિયામાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. વિશ્વમાં 4000થી વધુ લોકોના મોત થયા છે. કેનેડામાં પણ 138 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેને દેખરેખ રાખવામાં આવી રહી છે. કોરોના વાયરસની કારણે કેનેડામાં એક પણ મોત થયું નથી.