ગુજરાત

gujarat

અમેરિકામાં કોરોના વાઈરસથી 11 ભારતીયોના મોત, અન્ય 16 લોકોના રિપોર્ટ પોઝિટિવ

By

Published : Apr 9, 2020, 3:12 PM IST

દુનિયામાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે અમેરિકામાં કોરોના વાઈરસના કારણે 11 ભારતીયોના મોત થયા છે. અન્ય 16 ભારતીયોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. આ તમામ ભારતીયો હાલ સારવાર હેઠળ છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 14,795 લોકોના મોત થયા છે અને હજુ પણ 3.35 લાખ લોકો સંક્રમણનો શિકાર થયેલા છે.

11-indians-die-of-coronavirus-in-us
અમેરિકામાં કોરોના વાઈરસથી 11 ભારતીયોના મોત, હજુ 16ના રિપોર્ટ પોઝિટિવ

વોશિંગ્ટન: દુનિયામાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે અમેરિકામાં કોરોના વાઈરસના કારણે 11 ભારતીયોના મોત થયા છે. અન્ય 16 ભારતીયોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. આ તમામ ભારતીયો હાલ સારવાર હેઠળ છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 14795 લોકોના મોત થયા છે અને હજુ પણ 3.35 લાખ લોકો સંક્રમણનો શિકાર થયેલા છે.


એક રિપોર્ટ મુજબ, અમેરિકામાં સંક્રમણથી મરનાર ભારતીયોમાં તમામ પુરુષો છે, જેમાંથી મોટાભાગના ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં રહેનાર છે. મૃતકોમાં ચાર ન્યૂયોર્ક સિટીમાં ટેક્સી ડ્રાઈવર હતાં. બીજી તરફ ફ્લોરિડામાં પણ એક ભારતીયનું મોત થયું છે. ન્યૂયોર્ક એ અમેરિકામાં કોરોના એપિસેન્ટર બન્યું છે, અહીં છ હજારથી વધારે લોકોના મોત થયા છે. જ્યાં હજી પણ 1.51 લાખ લોકો પોઝિટિવ છે.


અમેરિકામાં રહેતા ભારતીયોમાં કેલિફોર્નિયા અને ટેક્સાસમાં સક્રમણનો ભોગ બન્યાં છે. 16 સંક્રમિત ભારતીય છે. જેમાંની ચાર મહિલા છે. તમામને સેલ્ફ કોરન્ટિનમાં રખાઈ છે. જો કે, આઠ ન્યૂયોર્ક, ત્રણ ન્યૂજર્સી અને બાકીના કેલિફોર્નિયા અનને ટેક્સાસમાં છે. આ લોકો ભારતના ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઉત્તરપ્રદેશ રાજ્યના છે. આ લોકોની સારવાર પર ભારતીય દૂતાવાસ સ્થાનિક અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યું છે.

ભારતીય દૂતાવાસ સ્થાનિક અધિકારીઓ અને સંગઠનો સાથે મળી કોરોના પ્રભાવિત ભારતીયોને મદદ કરી રહ્યું છે. આ પહેલા ભારતીય મૂળના એક પત્રકાર બ્રહ્મ કંચીબોતલાનું ન્યૂયોર્કમાં મોત થયું હતું.

ABOUT THE AUTHOR

...view details