ગુજરાત

gujarat

By

Published : Apr 28, 2023, 10:14 AM IST

Updated : Apr 28, 2023, 10:38 AM IST

ETV Bharat / entertainment

Samantha Temple In AP: APમાં ફેને બનાવ્યું સામંથા રૂથ પ્રભુનું મંદિર, આજે મંદિરનું ઉદ્ઘાટન થશે

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી સામંથા રૂથ પ્રભુના ચાહકે આંધ્રપ્રદેશમાં યશોદા અભિનેત્રી માટે મંદિર બનાવ્યું છે. તેણે સામંથાની પ્રતિમા પણ બનાવી છે. યુવકે એમ પણ કહ્યું કે, આજે તારીખ 28 એપ્રિલના રોજ મંદરનું ઉદ્ઘાટન કરશે. આ યુવક સામંથાથી ખુબજ પ્રભાવીત થયા છે.

APમાં ફેને બનાવ્યું સામન્થા રૂથ પ્રભુનું મંદિર, આજે મંદિરનું ઉદ્ઘાટન થશે
APમાં ફેને બનાવ્યું સામન્થા રૂથ પ્રભુનું મંદિર, આજે મંદિરનું ઉદ્ઘાટન થશે

હૈદરાબાદઃ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર સામંથા પોતાની એક્ટિંગ અને સુંદર કામથી ચાહકોની વચ્ચે ચર્ચામાં રહે છે. આ ચાહકોનો ક્રેઝ એટલો ઊંચો છે કે તેઓ તેમના મનપસંદ સ્ટાર માટે કંઈ પણ કરવા તૈયાર છે. પછી તે મંદિર બનાવવાનું હોય કે ગમે તે હોય. તેઓ ક્યારેય પાછળ પડતા નથી. જો કે, સ્ટાર્સ અને ચાહકો વચ્ચેનો સંબંધ ખૂબ જૂનો છે અને તેઓ ઘણીવાર એકબીજા માટે આશ્ચર્યજનક વસ્તુઓ કરતા નોંધાયેલા છે. આવી સ્થિતિમાં એક ચાહકનો તેની પ્રિય અભિનેત્રી પ્રત્યેનો પ્રેમ એટલો વધી ગયો કે, તેણે આંધ્ર પ્રદેશમાં તેના માટે મંદિર બનાવ્યું.

આ પણ વાંચો:Chrisann Pereira: ક્રિસન પરેરા ડ્રગ્સ પ્લાન્ટ કેસમાં જેલમાંથી થયા મુક્ત, પરિવારને ફોન પર આપી પ્રતિક્રિયા

APમાં ફેને બનાવ્યું સામન્થા રૂથ પ્રભુનું મંદિર, આજે મંદિરનું ઉદ્ઘાટન થશે

સંદિપસામંથાથી પ્રભાવિત: યશોદા અભિનેત્રી સામંથા રૂથ પ્રભુનું મંદિર એક ચાહકે બનાવ્યું છે. આંધ્રપ્રદેશના બાપટલા જિલ્લાના મંડલના આલાપડુનો રહેવાસી સંદીપ નામનો વ્યક્તિ સામંથાને ઘણો પ્રેમ કરે છે. સંદીપ તેના અભિનયની સાથે સાથે સામાજિક પ્રવૃત્તિઓનો પણ મોટો ચાહક છે. સંદીપ ખાસ કરીને પ્રત્યુષા ફાઉન્ડેશન દ્વારા બાળકો પર હૃદયના ઓપરેશન કરવાની સામન્થાની પહેલથી પ્રભાવિત છે.

આ પણ વાંચો:Jiah Khan Suicide Case: જિયા ખાન આત્મહત્યા કેસમાં સ્પેશિયલ CBI કોર્ટ આપશે અંતિમ ચુકાદો, હવે સૂરજનું શું થશે ?

મંદિરનું ઉદ્ઘાટન: સંદીપ માને છે કે, તે સામંથાના જેટલા પણ વખાણ કરે તે ઓછા છે અને આ પ્રકારના કામ માટે તેના વખાણ પણ બમણા થઈ જાય છે. કારણ કે, તે એવા બાળકોને પુનર્જન્મ આપે છે જે મુશ્કેલીઓ સાથે લડી રહ્યા છે. તેથી તેણે તેના માટે મંદિર બનાવવાનું નક્કી કર્યું છે. તે પોતાના ઘરના કમ્પાઉન્ડમાં મંદિર બનાવી રહ્યો છે. તેણે સામંથાની પ્રતિમા પણ બનાવી છે. હાલ મૂર્તિ અને મંદિરનું કામ ચાલી રહ્યું છે. સંદીપે કહ્યું કે, મંદિરનું ઉદ્ઘાટન તારીખ 28 એપ્રિલના રોજ થશે. સંદીપ કહે છે કે, તેણે આજ સુધી સામંથાને જોયો નથી અને તેની પ્રશંસાથી તે મંદિરનું નિર્માણ કરાવી રહ્યો છે.

Last Updated : Apr 28, 2023, 10:38 AM IST

ABOUT THE AUTHOR

...view details