ગુજરાત

gujarat

Kangana Ranaut Answer: ટ્વિટર યુઝર્સે કંગના રનૌત પર કરી ટિપ્પણી, અભિનેત્રીએ આપ્યો આકરો જવાબ

By

Published : Feb 22, 2023, 3:06 PM IST

અભિનેત્રી કંગના રનૌત સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે. અગાઉ પઠાણ ફિલ્મ પર કોમેન્ટ કરી હતી. હાલમાં જવેદ અખ્તરના એક વીડિયો પર કોમેન્ટ કરી તેમના વખાણ કર્યા હતાં. હાલમાં તેમની એક ટ્વિટર યુઝર્સે કડવી ટિપ્પણી કરી છે. આ ટિપ્પણીને લઈ કંગનાએ પણ ખુબ જ આકરો જવાબ આપ્યો છે. જાણો અહિં કંગનાએ જવાબમાં શું કહ્યું ?

Kangana Ranaut Answer: ટ્વિટર યુઝર્સે કંગના રનૌત પર કરી ટિપ્પણી, અભિનેત્રીએ આપ્યો આકરો જવાબ
Kangana Ranaut Answer: ટ્વિટર યુઝર્સે કંગના રનૌત પર કરી ટિપ્પણી, અભિનેત્રીએ આપ્યો આકરો જવાબ

મુંબઈઃઅભિનેત્રીકંગના રનૌત હંમેશા પોતાના નિવેદનોને લઈ ચર્ચામાં રહે છે. અગાઉ 'પઠાણ' ફિલ્મ પર પણ તેમણે નિવેદન આપ્યું હતું. હાલમાં દાદાસાહેબ ફાળકે બોલિવૂડ એવોર્ડ પર ટિપ્પણી કરી હતી. તાજેતરમાં ટ્વિટર ઉકાઉન્ટ પર એક યુઝર્સે કંગનાને એવું કહ્યું કે, તેમનો જવાબ અપવા પર કંગના મજબૂર થઈ ગઈ હતી. સંપુર્ણ સમાચાર જાણવા માટે અહિં વાંચો.

આ પણ વાંચો:Alia Bhatt Privacy Invasion: આલિયાની અંગત તસવીર થઈ વાયરલ, ફિલ્મના કલાકારોએ કરી નિંદા

કંગના રનૌતના નિવેદન: બોલિવૂડની સ્પષ્ટવક્તા 'ક્વીન' કંગના રનૌત પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. કંગનાની અગાઉની રિલીઝ થયેલી ફિલ્મ ભલે કામ ન કરી હોય, પરંતુ તેના કારનામા એટલા મોટા છે કે તેની અવગણના કરવી માત્ર મુશ્કેલ જ નહીં પણ અશક્ય છે. આગલા દિવસે કંગનાએ દાદાસાહેબ ફાળકે એવોર્ડને લઈને બોલિવૂડ ગેંગ પર નિશાન સાધ્યું હતું. આ ઉપરાંત પોતે વિજેતાઓની યાદી તૈયાર કરી હતી અને તેને સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ પછી કંગનાનું સકારાત્મક ટ્વિટ આવ્યું હતું. જેમાં તે પીઢ ગીતકાર જાવેદ અખ્તરે આતંકવાદીઓને આશ્રય આપવા માટે પાકિસ્તાનને ઠપકો આપ્યો હતો. આ વાતને લઈ કંગનાએ પ્રતિક્રિયા આપી હતી અને જાવેદ અખ્તરના વખાણ કર્યાં હતા. હવે એક યુઝરે કંગનાને કંઈક એવું કહ્યું છે, જેનો જવાબ આપવો કંગના માટે મજબૂરી અને જરૂરી બંને બની ગઈ છે.

આ પણ વાંચો:Pathaan 1000 Cr Celebration: 'પઠાણ'ની 1000 કરોડની કમાણી પર કરી ઉજવણી, મેગા સેલિબ્રેશન

યુઝર્સની પ્રતિક્રિયા: કાજલ હિન્દુસ્તાની નામના ટ્વિટર એકાઉન્ટે કંગના રનૌતની આગામી ફિલ્મ ઈમરજન્સીની તસવીર શેર કરી અને લખ્યું, બહેન કંગનાની ટીમ તમારી ફિલ્મ આવી રહી છે, મુનાવર ફારૂકી જેણે આપણા શ્રી રામ અને મા સીતા પર અભદ્ર ટિપ્પણીઓ કરી છે. હિન્દુઓએ તેના શો રદ કર્યા હતાં. પરંતુ તમે તેને લોકઅપમાં બોલાવીને કરિયર બનાવી અને વિનર પણ બનાવ્યો છે. હવે તેને જ કહો તે તમારી ફિલ્મ હિટ કરાવી દેસેે.

કંગનાનો આકરો પ્રહાર: આ યુઝરની કોમેન્ટ શેર કરતા કંગનાએ લખ્યું છે, 'શ્રી કૃષ્ણએ શ્રીમદ ભાગવત ગીતામાં કહ્યું છે, જે માણસ તટસ્થ રહીને નિર્ણય લે છે, તે ધર્મના માર્ગે તૈયાર છે, મને મારા ધર્મથી કોઈ ભટકી શકે નહીં, ન તો કરી શકે. હું હાર્યો છું. લોભને ડર જીતવા માટે નહીં, હું ધર્મથી બંધાયેલો છું અને હંમેશા લોભ, દ્વેષ, ભય અને અહંકારથી મુક્ત રહીને નિર્ણયો લઉં છું.

ABOUT THE AUTHOR

...view details