મુંબઈઃઅભિનેત્રીકંગના રનૌત હંમેશા પોતાના નિવેદનોને લઈ ચર્ચામાં રહે છે. અગાઉ 'પઠાણ' ફિલ્મ પર પણ તેમણે નિવેદન આપ્યું હતું. હાલમાં દાદાસાહેબ ફાળકે બોલિવૂડ એવોર્ડ પર ટિપ્પણી કરી હતી. તાજેતરમાં ટ્વિટર ઉકાઉન્ટ પર એક યુઝર્સે કંગનાને એવું કહ્યું કે, તેમનો જવાબ અપવા પર કંગના મજબૂર થઈ ગઈ હતી. સંપુર્ણ સમાચાર જાણવા માટે અહિં વાંચો.
આ પણ વાંચો:Alia Bhatt Privacy Invasion: આલિયાની અંગત તસવીર થઈ વાયરલ, ફિલ્મના કલાકારોએ કરી નિંદા
કંગના રનૌતના નિવેદન: બોલિવૂડની સ્પષ્ટવક્તા 'ક્વીન' કંગના રનૌત પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. કંગનાની અગાઉની રિલીઝ થયેલી ફિલ્મ ભલે કામ ન કરી હોય, પરંતુ તેના કારનામા એટલા મોટા છે કે તેની અવગણના કરવી માત્ર મુશ્કેલ જ નહીં પણ અશક્ય છે. આગલા દિવસે કંગનાએ દાદાસાહેબ ફાળકે એવોર્ડને લઈને બોલિવૂડ ગેંગ પર નિશાન સાધ્યું હતું. આ ઉપરાંત પોતે વિજેતાઓની યાદી તૈયાર કરી હતી અને તેને સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ પછી કંગનાનું સકારાત્મક ટ્વિટ આવ્યું હતું. જેમાં તે પીઢ ગીતકાર જાવેદ અખ્તરે આતંકવાદીઓને આશ્રય આપવા માટે પાકિસ્તાનને ઠપકો આપ્યો હતો. આ વાતને લઈ કંગનાએ પ્રતિક્રિયા આપી હતી અને જાવેદ અખ્તરના વખાણ કર્યાં હતા. હવે એક યુઝરે કંગનાને કંઈક એવું કહ્યું છે, જેનો જવાબ આપવો કંગના માટે મજબૂરી અને જરૂરી બંને બની ગઈ છે.