ગુજરાત

gujarat

Nawazuddin Siddiquis: હાઈકોર્ટે નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયાને બાળકો સંબંધિત મતભેદ ઉકેલવા આપી સલાહ

નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્ની આલિયા વચ્ચે વિવાદ વધી રહ્યો છે. આ દરમિયાન કોર્ટે તેમને બાળકો સંબંધિત મતભેદો મમતાથી ઉકેલવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સિદ્દીકી પોતાના બાળકો ક્યાં છે તે જાણતા ન હતાં. બેન્ચે આગામી કેસની સુનાવણી 3 માર્ચે રાખી છે.

By

Published : Feb 24, 2023, 5:36 PM IST

Published : Feb 24, 2023, 5:36 PM IST

Nawazuddin Siddiquis: હાઈકોર્ટે નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયાને બાળકો સંબંધિત મતભેદો ઉકેલવા આપી સલાહ
Nawazuddin Siddiquis: હાઈકોર્ટે નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયાને બાળકો સંબંધિત મતભેદો ઉકેલવા આપી સલાહ

મુંબઈ:અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી અને તેમની પત્નિ આલિયા વચ્ચે વિવાદ થયો હતો. આ વિવાદ આગળ વધી રહ્યો છે. આ વિવાદને લઈ બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્નીને તેમના 2 સગીર બાળકો સંબંધિત મતભેદોને ઉકેલવાનો પ્રયાસ કરવાનું સૂચન કર્યું હતું. સિદ્દીકીએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી હતી. જેમાં તેમની 12 વર્ષની પુત્રી અને 7 વર્ષના પુત્રના ઠેકાણા વિશે તેમની વિખૂટા પડી ગયેલી પત્ની ઝૈનબને જાણ કરવાના નિર્દેશની માંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:Selfiee Twitter Review: અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મીની 'સેલ્ફી'નો રિવ્યું, જાણો શા માટે જોવી આ ફિલ્મ

બાળકોની સમસ્યા મમતાથી ઉકેલવા: જસ્ટિસ AS ગડકરી અને જસ્ટિસ PD નાઈકની ડિવિઝન બેન્ચે અભિનેતા અને તેની પત્નીને બાળકોના સંબંધમાં મતભેદ દૂર કરવાનો પ્રયાસ કરવા કહ્યું છે. આ અંગે કોર્ટે કહ્યું કે, તે સિદ્દીકી માત્ર પોતાના બાળકો અને તેમના શિક્ષણની ચિંતા કરે છે. એકબીજા સાથે વાત કરો અને જો આ કામ થઈ શકે તો સારું રહેશે કે મામલો મમતાથી ઉકેલાઈ જાય.

અભિનતા બાળકોના સ્થાનથી અજાણ: સિદ્દીકીની તરફેણમાં હાજર રહેલા એડવોકેટ પ્રદીપ થોરાટે કોર્ટને જણાવ્યું હતું કે, અભિનેતા તેના બાળકોના સ્થાન વિશે જાણતો નથી. થોરાટે કહ્યું કે, અરજદાર સિદ્દીકીને લાગ્યું કે તેના બાળકો દુબઈમાં છે. પરંતુ હવે તેને બાળકોની શાળા તરફથી એક મેલ મળ્યો છે કે, તેઓ તેમના વર્ગોમાં હાજર નથી. તેણે કહ્યું કે, અભિનેતાની પત્ની નવેમ્બર 2022માં દુબઈથી બાળકો વિના ભારત આવી હતી. આ ઉપરાંત કહ્યું હતું કે, મહિલા અને તેના બાળકો દુબઈના કાયમી રહેવાસી છે.

આ પણ વાંચો:Naatu Naatu Dance: પાકિસ્તાનની અભિનેત્રીને 'નાટુ નાટુ' એટલું ગમ્યુ કે વીડિયો બનાવી દીધો

બાળકો ભારતમાં રહેવા માંગે છે: બેન્ચે ઝૈનબના વકીલ રિઝવાન સિદ્દીકીને પૂછ્યું કે, અભિનેતાના બાળકો ક્યાં છે. રિઝવાન સિદ્દીકીએ કોર્ટને કહ્યું કે, બાળકો તેમની માતા સાથે છે અને દુબઈ પાછા જવા માંગતા નથી. વકીલે કહ્યું કે, બંને બાળકો તેમની માતા સાથે ભારતમાં રહેવા માંગે છે. તે અહીં પોતાનું શિક્ષણ ચાલુ રાખવા માંગે છે. ત્યારપછી ખંડપીઠે અભિનેતાની પત્નીને આગામી સપ્તાહ સુધી કોર્ટને જણાવવા કહ્યું કે, તેઓએ બાળકોના શિક્ષણ અંગે શું નિર્ણય લીધો છે. બેન્ચે કેસની આગામી સુનાવણીની તારીખ 3 માર્ચ નક્કી કરી છે.

ABOUT THE AUTHOR

...view details