- રવિવારે 1લી ઓગષ્ટના રોજ સ્વામીજીના દિવ્ય વિગ્રહ દેહની અંતિમસંસ્કાર વિધિ કરાશે
- નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે પૂ.સ્વામીજીને પુષ્પાંજલિ સાથે ભાવાંજલિ અર્પણ કરી
- પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીએ લાખો યુવાનોનું ઉત્તમ મનુષ્ય તરીકે ઘડતર કર્યું અને ધર્મનો સંદેશ ઘેર ઘેર પહોંચાડ્યો : નાયબ મુખ્યપ્રધાન
વડોદરા: નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે(Nitin Patel) યોગી ડીવાઈન સોસાયટી હરિધામ- સોખડાના પરમાધ્યક્ષ, બ્રહ્મલીન પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજી(Hariprasad Swami)ના પાર્થિવ દેહના પવિત્ર દર્શન કરીને ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. સ્વામીના આશિષ અને અલૌકિક સ્મૃતિઓ ચિરસ્થાયી બની રહે એવી પરમાત્માના ચરણોમાં તેમણે પ્રાર્થના કરી હતી. તેમની પાલખી યાત્રા યોજી મંદિર પરિસરમાં જ લીમડા વન ખાતે સમાપ્ત કર્યા બાદ અંતિમ સંસ્કાર વિધિ સંપન્ન થશે. સાથે સ્વામીજીના વિગ્રહને ગંગા, જમના, નર્મદા સહિત 7 નદીના જળથી સ્નાન કરાવાશે.
આ પણ વાંચો-અક્ષરનિવાસી થયા હરિપ્રસાદ સ્વામી
તેમને ઉચ્ચ શિક્ષણ, વ્યસન મુક્ત જીવન, સમાજ અને રાષ્ટ્રની, ધર્મની સેવા માટે પ્રેરિત કર્યા
સોખડા ધામનું નામ લઈએ અને પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી(Hariprasad Swami)નો પ્રેમાળ ચહેરો અને આત્મીય વત્સલતા યાદ આવે એવી લાગણી વ્યક્ત કરતા નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે, તેમણે લાખો હરિભક્તોને પ્રેરણા આપી લાખો યુવાનોના જીવનનું ઘડતર કર્યું. તેમને ઉચ્ચ શિક્ષણ, વ્યસન મુક્ત જીવન, સમાજ અને રાષ્ટ્રની, ધર્મની સેવા માટે પ્રેરિત કર્યા.