ગુજરાત

gujarat

By

Published : Aug 4, 2021, 1:37 PM IST

Updated : Aug 4, 2021, 4:03 PM IST

ETV Bharat / city

સુરતના ગજેરા સ્કૂલનમાં સરકારના નિર્ણય પૂર્વે ધોરણ 6 થી 8ના વર્ગો શરુ કરાતા મુખ્યપ્રધાન દ્વારા તપાસના આદેશ

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ગજેરા સ્કૂલ દ્વારા પોતાની મનમાની કરવામાં આવી છે. ગજેરા સ્કૂલ દ્વારા ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવી રાજ્ય સરકારના નિયમો ઘોળીને પી ગયા હોય તેમ લાગી રહ્યું છે.

સુરતના ગજેરા સ્કૂલનો વીડિયો વાયરલ, સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ જોવા મળ્યો
સુરતના ગજેરા સ્કૂલનો વીડિયો વાયરલ, સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ જોવા મળ્યો

  • સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ગજેરા સ્કૂલનો વીડિયો વાયરલ
  • ધોરણ-6 થી 8ના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવામાં આવ્યા
  • વીડિયોમાં વિદ્યાર્થીઓમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળ્યો

સુરત: શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી ગજેરા સ્કૂલ દ્વારા રાજ્ય સરકારના નિયમોનો ભંગ કર્યો છે. સ્કૂલ દ્વારા ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જો કે હજી સુધી રાજ્ય સરકાર દ્વારા ધોરણ-6 થી 8ના વિદ્યાર્થીઓને ઓફલાઈન શિક્ષણ મુદ્દે કોઈ જાહેરાત કરી નથી. તેમ છતાં સ્કૂલ સંચાલકો દ્વારા પોતાની મનમાની કરીને વિદ્યાર્થીઓના જીવના જોખમે સ્કૂલમાં અભ્યાસ માટે બોલાવી રહ્યા છે. જોકે કહી શકાય કે, સ્કૂલ રાજ્ય સરકારની ઉપર હોય તેમ લાગી રહ્યું છે.

સુરતના ગજેરા સ્કૂલનો વીડિયો વાયરલ, સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ જોવા મળ્યો

ધોરણ-6 થી 8ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલવવામાં આવ્યા

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા ગજેરા સ્કૂલના સંચાલકો દ્વારા ધોરણ-6 થી 8ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં અભ્યાસ માટે બોલાવી રહ્યા છે. જેનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે. કઈ રીતે વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે. સામાન્ય રીતે કોરોના પરિસ્થિતિમાં રાજ્ય સરકારની ગાઈડ લાઈન પ્રમાણે એક બેન્ચ ઉપર ફક્ત એક જ વિદ્યાર્થીને બેસાડવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ એક બેન્ચ ઉપર ત્રણ-ત્રણ વિદ્યાર્થીઓ બેઠા છે. તે જોવા મળી રહ્યું છે. મહત્વની વાત એ છે કે, સ્કૂલના સંચાલકો દ્વારા પોતાની મનમાની કરીને વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલવામાં આવી રહ્યા છે.

સ્કૂલ સંચાલકો કંઈ બોલવા તૈયાર નથી

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ગજેરા સ્કૂલના સંચાલકો દ્વારા ધોરણ-6 થી 8ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવી ઓપન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તેવા વિડિયો બહાર આવતા હતા. આ બાબતે સ્કૂલના સંચાલકોએ પૂછવામાં આવતાં સ્કૂલના સંચાલકો કંઈક બોલવા તૈયાર નથી. જ્યારે વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું કે તમે સ્કૂલે ક્યારથી આવી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અમે 2 તારીખથી સ્કૂલે આવી રહ્યા છે.

સુરતના ગજેરા સ્કૂલ પર મુખ્યપ્રધાન દ્વારા તપાસના આદેશ

ગાઇડલાઇનનો ભંગ કરનારને છોડવામાં નહી આવે : મુખ્યપ્રધાન રૂપાણી

રાજ્ય સરકારના નિર્ણય પહેલા જ સુરતની ગજેરા સ્કૂલ દ્વારા ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવી રાજ્ય સરકારના નિયમોનો ભંગ કરવામાં આવતા મુખ્યપ્રધાનને પણ આ બાબતે તપાસના આદેશ આપ્યા છે. વડોદરાની પત્રકાર પરિષદ દરમિયાન મુખ્યપ્રધાને કહ્યું હતું કે, કોરોના ગાઇડલાઇનનું ભંગ કરનારને છોડવામાં આવશે નહી.

બધા વિદ્યાર્થીઓના અલગ અલગ જવાબ

ETV Bharatએ 3 થી 4 વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ કર્યા બાદ તેમ જાણવા મળ્યું કે, કોઈ વિદ્યાર્થી 3 દિવસથી આવી રહ્યું છે. તો કોઈ વિદ્યાર્થી 2 દિવસથી આવી રહ્યા છે. જો કે બધા વિદ્યાર્થીઓથી અલગ અલગ જવાબ સાંભળવા મળ્યા છે. જ્યારે કતારગામ પોલીસ કર્મચારીઓ પણ સ્કૂલે પહોંચી ચૂક્યા છે અને સ્કૂલના 2 થી 3 વિદ્યાર્થીઓના નિવેદન લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:સુરતમાં ભાજપના નેતાની પુત્રીના લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા

ગજેરા સ્કૂલ 2 દિવસ માટે બંધ રહેશે

ગજેરા સ્કૂલનો વીડિયો બહાર આવ્યા બાદ આ બાબતે કતારગામ ઝોનના આરોગ્ય અધિકારી દ્વારા એમ કહેવામાં આવ્યું કે, સ્કૂલનો વીડિયો વાયરલ થયો છે, આ વીડિયોમાં સ્કૂલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નથી. બધા જ વિદ્યાર્થીઓએ મોઢા ઉપર માસ્ક પહેર્યા હતા. જેથી આ સ્કૂલ વિરુદ્ધ એક્શન લેવામાં આવી છે. સ્કૂલને 2 દિવસ માટે બંધ રાખવામાં આવશે. હવે ફરીથી કોવિડ-19 ગાઈડલાઈનનું ભંગ થશે તો વધારે કડક પગલા લેવામાં આવશે. હું જયારે શાળાએ આવ્યો ત્યારે વિદ્યાર્થીઓને છોડી મુકવામાં આવ્યા હતા. પરંતુ મેં વીડિયો જોયો તેમાં સોશિયલ ડિસ્ટનિસનો અભાવ જોવા મળ્યો હતો.

Last Updated : Aug 4, 2021, 4:03 PM IST

ABOUT THE AUTHOR

...view details