સુરતઃ શહેરમાં આગ લાગવાનો સિલસિલો યથાવત હોઈ તેવું લાગી રહ્યું છે. મોટા વરાછાના સનસાઇન બિલ્ડીંગના ચોથા માળે આવેલી ઓફિસના એ.સીના કોમ્પ્રેશનમાં એકાએક આગ લાગી હતી. આગ લાગતા જ લોકોમાં પણ ભાગદોડનો માહોલ સર્જાયો હતો.
સુરતમાં બિલ્ડીંગના ચોથા માળે આગ, અફરાતફરીના માહોલ બાદ આગ કાબૂમાં
સુરતના મોટાવરાછા વિસ્તારમાં સનસાઇન બિલ્ડીંગના ચોથા માળે આગ લાગતા ભાગદોડનો માહોલ છવાઈ ગયો હતો. આગ લાગતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
સુરતમાં બિલ્ડીંગના ચોથા માળે આગ લાગતા ભાગદોડનો માહોલ
બીજી તરફ આગ લાગ્યાનો કોલ મળતા જ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી જઇ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બે ગેટની ફાયરની ગાડીઓની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. હાલ એસી કોમ્રેશનમાં આગ કઈ રીતે લાગી તે અંગે તપાસ હાથ ધરી હતી.
Last Updated : Mar 9, 2020, 3:00 PM IST