- મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા રાજ કે રાજ પુરોહિત સુરતની મુલાકાતે
- રાજસ્થાની સમાજના લોકો સાથે મિટિંગ કરી રહ્યા છે
- ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજસ્થાન સમાજના મતદાતાઓને આકર્ષવા માટે તેઓ સુરત આવ્યાં
સુરતઃ મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન માટે માત્ર ત્રણ દિવસ બાકી છે. ત્યારે ભાજપ દ્વારા દરેક સમાજના મતદાતાઓને આકર્ષવા માટે જે તે સમાજના આગેવાનોને બોલાવી પ્રચાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે મુળ રાજસ્થાનના અને હાલ મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા રાજ કે રાજ પુરોહિત સુરતની મુલાકાતે છે. સુરતના તમામ રાજસ્થાની સમાજના લોકો સાથે મિટિંગ કરી રહ્યા છે અને જાહેર સભામાં જઈ રહ્યા છે. જેથી ભાજપને રાજસ્થાની સમાજના મતો મળી શકે. તેઓએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું કે, રાજસ્થાની સમાજની વિચારધારાઓ ભાજપની વિચારધારા સાથે મળે છે. આ જ કારણ છે કે રાજસ્થાની સમાજના લોકો ભાજપ અને આરએસએસની સાથે રહેશે અને ચૂંટણીમાં ભવ્ય વિજય આપાવશે.