ગુજરાત

gujarat

ETV Bharat / city

વાયુ વાવાઝોડાને પગલે પોરબંદર સાંસદે યોજી પ્રેસ કોન્ફરન્સ

રાજકોટઃ સમગ્ર રાજ્યને વાયુ વાવાઝોડાને લઇ હાઇ-એલર્ટ જાહેર કરાયો છે ત્યારે વાયુ વાવાઝોડાના પગલે પોરબંદર સાંસદ રમેશ ધડુકની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને લઈને સાંસદ રમેશ ધડુક પોરબંદર જવા રવાના થયા છે.

By

Published : Jun 12, 2019, 8:52 AM IST

PBR

પોરબંદરના નીચાણવાળા વિસ્તારમાં રહેતા અનેક લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવામાં આવ્યું છે. NDRFની ટીમ પણ તૈનાત કરાવામાં આવી છે. વાવાઝોડાની પરિસ્થિતિ અંગે તંત્ર સાથે સતત સંપર્કમાં રહેતા સંસદ રમેશ ધડુક વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા ખડે પગે કામ કરી રહ્યા છે સાથે જ ફુડ પેકેટ સહિત પ્રાથમિક જરૂરિયાતને પહોંચી વળવા પણ સજ્જ છે તેમ જણાવ્યું હતું.

વાયુ વાવાઝોડાને પગલે પોરબંદર સાંસદે પ્રેસ કોન્ફરન્સ યોજી

ABOUT THE AUTHOR

...view details