- 1,00,944 જેટલી રાશન કીટોનું વિતરણ સરકાર અને સમાજસેવી સંસ્થાઓ મારફત કરવામાં આવ્યું
- અન્નબ્રહ્મ યોજના અન્વયે અનેક લોકોને નિઃશૂલ્ક અનાજ પુરૂ પાડવામાં આવ્યું
- જરૂરિયાતમંદ વ્યક્તિઓ અને શ્રમિકોને કુલ 57,51,789 જેટલા ફૂડ પેકેટો
રાજકોટ:રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરાનાની મહામારીમાં છેલ્લા એક વર્ષ દરમિયાન લોકોને વિવિધ સુવિધા મળી રહે તે માટે ટીમવર્કથી કામગીરી કરવામાં આવી છે. રાજય સરકારના સંવેદનશીલ અભિગમને સાર્થક કરીને જિલ્લા તંત્રએ વિવિધ કામગીરી સુપેરે પાર પાડી હતી. કોરોના મહામારી સમયે આરોગ્ય વિભાગના માર્ગદર્શક સુચનો મુજબ લોકડાઉનના અમલ દરમિયાન જરૂરીયાતમંદ લોકોને અનાજ અને શાકભાજી સહિતનો પૂરવઠો મળી રહે તથા કોઇપણ વ્યક્તિ ભૂખ્યો ન રહે તેની તકેદારી સરકારે રાખી હતી.
અનેક લોકોને નિઃશૂલ્ક અનાજ પુરૂ પાડવામાં આવ્યું
આ સમય દરમિયાન NFSA 2,50,025 NON NFSA-18,365, NON NFSA APL-1- 7,59,308, PMGKY-2,45,174 લાભાર્થીઓ ઉપરાંત DBT સહાય અને અન્નબ્રહ્મ યોજના અન્વયે અનેક લોકોને નિઃશૂલ્ક અનાજ પુરૂ પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજકોટ શહેર અને ગ્રામ્ય કક્ષાએ જરૂરિયાતમંદ વ્યક્તિઓ અને શ્રમિકોને કુલ 57,51,789 જેટલા ફૂડ પેકેટો અને 1,00,944 જેટલી રાશન કીટોનું વિતરણ સરકાર અને સમાજસેવી સંસ્થાઓ મારફત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:કોરોના મહામારીમાં શ્રમિકોને ઘર સુધી પહોંચાડવા મોદી સરકારે ટ્રેનો દોડાવી હતી: જુગલસિંહ લોખંડવાલા
166 જેટલી ગૌશાળાને પણ લોકડાઉનમાં સહાય