- કોંગ્રેસના ઉર્વશીબા જાડેજા ફોર્મ પરત નહીં ખેંચે
- કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેચીં શકે છે તે વાત માત્ર અફવા
- વોડ નંબર 12માંથી ફરી એક વખત ઉર્વશી બા જાડેજાને આપવામાં આવી છે ટિકિટ
રાજકોટઃ મનપાની ચૂંટણીમાં હવે તોડજોડની રાજનીતિ શરૂ થઈ છે. કોંગ્રેસના વધુ એક ઉમેદવાર ફોર્મ ખેંચી શકે છે તેવી અફવાએ જોર પકડયું હતું. વોડ નંબર 12માંથી ફરી વખત કોંગ્રેસના ઉર્વશી બા જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. જેઓ ગત ટર્મમાં કોંગ્રેસની ટીકિટ પર ચુંટાઈને આવ્યાં હતા. જ્યારે તેમના પતિ અને પરિવારજનો પર તાજેતરમાં લેન્ડ ગ્રેમિંગ એકટ હેઠળ ગુનો નોંધાયો છે. જેને લઈને એવી ચર્ચાએ જોર પકડયું હતું કે, ઉર્વશી બા ભાજપ સાથે સમાધાન કરી લેશે અને પોતાનું ફોર્મ પરત લેશે. પરંતુ ઉર્વશી બા એ મીડિયા સાથેની વાતચીતમાં તેઓ કોંગ્રેસમાં જ રહેશે અને આ પ્રકારની ફોર્મ પરત ખેંચવાની કોઈ વાત જ ન હોવાનું જણાવ્યું હતું.