- યુવાનોમાં ગૌરવનું નિર્માણ થાય તે માટે યોજાયો કાર્યક્રમ
- જેતપુર શહેર અને તાલુકાના આહીર સમાજના લોકો રહ્યા ઉપસ્થિત
- આહિર સમાજના પ્રતિભાશાળી લોકોને સન્માન આપવા માટે કાર્યક્રમ યોજાયો
રાજકોટ: જેતપુર શહેર અને તાલુકા આહીર સમાજ દ્વારા આહિર સમાજના સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને યુવાનો માટે પ્રેરણારૂપ લોકોના સન્માનને અનુલક્ષીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આહીર સમાજ વધુમાં વધુ શિક્ષિત અને સંગઠિત બને તેના ઉપર ભાર આપાયો હતો. આ કાર્યક્રમમાં રાજકોટના રૂલર LCBના નારણ પંપાણીયાનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. જેમને તાજેતરમાં જ રાષ્ટ્રપતિ ચંદ્રક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓ બાળકો યુવાનો અને વડીલો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.