ગુજરાત

gujarat

દિવાળીના પર્વને અનુલક્ષી રાજકોટ એસટી ડિવિઝન દ્વારા 15 એકસ્ટ્રા બસ શરૂ કરાઇ

By

Published : Nov 10, 2020, 10:46 PM IST

દિવાળીના તહેવારને લઈને પ્રવાસીઓને હાલાકી ન ભોગવવી પડે તે માટે રાજકોટ ડિવિઝન દ્વારા જરૂરિયાત મુજબ વધારાની બસો દોડાવવનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને લઈને આજથી આ વધારાની બસો અલગ-અલગ રૂટ પર શરૂ કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે પ્રવાસીઓ બસમાં બેસે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે.

Rajkot St depot
Rajkot St depot

  • દિવાળીના તહેવારને લઇ રાજકોટ એસટી ડેપોનો મહત્વનો નિર્ણય
  • જરૂરિયાત મુજબ વધારાની બસ દોડાવાશે
  • હાલ 15 એકસ્ટ્રા બસ શરૂ કરાઇ

રાજકોટઃ દિવાળીના તહેવારને લઈને રાજકોટ ડિવિઝન દ્વારા જરૂરિયાત મુજબ વધારાની બસો દોડાવવનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને લઈને આજથી આ વધારાની બસો અલગ-અલગ રૂટ પર શરૂ કરવામાં આવી છે.

દિવાળીના પર્વને અનુલક્ષી રાજકોટ એસટી ડિવિઝન દ્વારા 15 એકસ્ટ્રા બસ શરૂ કરાઇ
પંચમહાલ અને ગોધરા માટે ખાસ એડવાન્સ બુકિંગરાજકોટ તેમજ સૌરાષ્ટ્રભરમાં ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાંથી લોકો રોજગારી માટે આવતા હોય છે. જેમાં પણ પંચમહાલ અને ગોધરા જિલ્લાના શ્રમિકોની સંખ્યા વધુ હોય છે. ત્યારે તહેવાર દરમિયાન બસમાં જગ્યા મળી રહે તે માટે રાજકોટ એસટી તંત્ર દ્વારા ગોધરા અને પંચમહાલ માટે એડવાન્સ બુકિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે પ્રવાસીઓને બેસવાની જગ્યા પણ મળી રહેશે.
દિવાળીના પર્વને અનુલક્ષી રાજકોટ એસટી ડિવિઝન દ્વારા 15 એકસ્ટ્રા બસ શરૂ કરાઇ
વધારાની 15 બસ શરૂ કરવામાં આવીદિવાળીના તહેવારોને લઈને રાજકોટ એસ.ટી ડિવિઝન દ્વારા કામચલાઉ શાસ્ત્રીનગર બસસ્ટેન્ડ અને નવા બસસ્ટેન્ડ એમ બન્ને જગ્યાએથી 15 વધારાની બસ દોડાવવામાં આવશે. જેમાં રાજકોટ ડેપોની 08, તેમજ અન્ય ડેપો જે રાજકોટથી એકસ્ટ્રા કરવામાં આવશે, જેની 7 બસ મળીને કુલ 15 જેટલી એકસ્ટ્રા બસ દોડવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details