ગુજરાત

gujarat

બંધારણનો દુરુપયોગને લઈ ગાંધીવાદીઓ ચિંતાગ્રસ્ત બન્યા: પૂર્વ આરોગ્ય પ્રધાન

By

Published : Nov 26, 2019, 10:45 PM IST

જૂનાગઢ: 26 નવેમ્બરે દેશ બંધારણ દિવસની ઉજવણી રહ્યો છે. કોઈ પણ દેશ માટે તેનું બંધારણ અને તેની ઉજવણી ગર્વની બાબત હોય છે. આપણા દેશમાં પણ બંધારણ દિવસની ગર્વ સાથે ઉજવણી કરવામાં આવી રહીં છે. પરંતુ આઝાદી બાદના કેટલાંક વર્ષો પછી જે પ્રકારે ભારતીય બંધારણનો કાયદાથી સ્થાપિત સરકાર ગેર ઉપયોગ કરી રહી છે, તેને લઈને ગાંધીવાદી લોકો ચિંતાગ્રસ્ત બન્યા છે.

Constitution
બંધારણના ગેર ઉપયોગને લઈ ગાંધીવાદીઓ ચિંતાગ્રસ્ત બન્યા

મંગળવારે સમગ્ર રાષ્ટ્ર બંધારણ દિવસની ઉજવણી કરી રહ્યો છે. દેશમાં ઠેર-ઠેર બંધારણની ઉજવણીને લઈને અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. દુનિયાના તમામ દેશો માટે તેનું બંધારણ અને તેનો સ્થાપના દિવસ અગત્યનો હોય છે અને તેની ઉજવણી સમગ્ર વિશ્વમાં થતી હોય છે. પરંતુ ભારતની આઝાદીના કેટલાક વર્ષો બાદ કાયદા દ્વારા સ્થાપિત સરકાર જે પ્રકારે બંધારણની મર્યાદાઓનું ઉલ્લંઘન કરીને તેમની ઇચ્છા મુજબનું વ્યવસ્થાતંત્ર ઉભું કરવાનો પ્રયાસ કરતા હોય છે. જેને લઇને ગાંધીવાદી લોકોમાં આજે ચિંતા જોવા મળી રહી છે. જે લોકોના ખભે બંધારણને સાચવવાની અને તેની જોગવાઈઓની મર્યાદા સાથે અમલવારીની જવાબદારી છે, તેવા જ લોકો આજે બંધારણનો મજાક બનાવી રહ્યાં છે.

બંધારણના ગેર ઉપયોગને લઈ ગાંધીવાદીઓ ચિંતાગ્રસ્ત બન્યા

કોઈપણ દેશ માટે તેનું બંધારણ સર્વોપરી હોય છે. દેશમાં આઝાદી બાદની સ્થપાયેલી સરકારો આ બંધારણની સફળતાનું એક માત્ર કારણ છે. કોઈપણ સરકારની સ્થાપના કે, તેની વિદાય દેશના બંધારણ મુજબ સૂચવવામાં આવેલી જોગવાઇઓ મુજબ કરવાની હોય છે. પરંતુ, આઝાદીના કેટલાક વર્ષો બાદ આ બંધારણીય પરંપરા હવે જળવાતી નથી અને કેટલાક કિસ્સાઓમાં તો બંધારણી પરંપરાને તોડવામાં આવી હોય એવું પણ લાગી રહ્યું છે. કેન્દ્ર કે રાજ્યની સરકાર કે જેના ખભે આ બંધારણીય પરંપરાનું યોગ્ય અને ન્યાય પણે વહન કરવાની જવાબદારીઓ હોય છે, પરંતુ એક વખત લોકો દ્વારા ચૂંટાઈને વિધાનગૃહમાં પહોંચેલા લોકો બંધારણીય મર્યાદા જાળવવામાં આજે કસૂરવાર બની રહ્યાં છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારમાં બેઠેલા લોકો ભારતીય બંધારણને સત્તા સુધી પહોંચવાનું એક હથિયાર બનાવી ચૂક્યા છે. ઉપરાંત આવા લોકો બંધારણી પરંપરાને તેમના સાચા કે, ખોટા સોગઠા ગોઠવવા માટે હવે બંધારણને હથિયાર તરીકે પણ ઉપયોગ કરી રહ્યાં છે. બંધારણ એક એવો પવિત્ર ગ્રંથ છે, જેનાથી આ દેશના દરેક નાગરિકને નૈતિક મનોબળની સાથે દેશના સાચા નાગરિક બનવાની તક પૂરી પાડે છે. પરંતુ સરકારમાં બેઠેલા કેટલાક લોકો આ બંધારણીય પરંપરાને હાંસીને પાત્ર જ બનાવી રહ્યાં છે. જેને, લઇને ગાંધીવાદી લોકોમાં આજે ચિંતા જોવા મળી રહી છે. જો આ જ પ્રકારે બંધારણનો ભંગ કે ઉલ્લંઘન થતું રહેશે તો, આગામી દિવસોમાં ભારતના સાર્વભૌમત્વ પર ખૂબ મોટું નુકસાન થશે તેવી ચિંતાઓ પણ ગાંધીવાદીઓને સતાવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details