ગુજરાત

gujarat

By

Published : May 22, 2021, 7:47 PM IST

ETV Bharat / city

તૌકતે વાવાઝોડાને પગલે રોપ-વે અપર સ્ટેશન તેમજ દાતાર પર્વત પરના પતરા ઉડ્યા

તૌકતે વાવાઝોડાએ ગિરનાર પર્વત પર બનાવવામાં આવેલા રોપ-વેના અપર સ્ટેશન અને દાતાર પર્વત પર આવેલા મંદિરના સિમેન્ટ અને લોખંડના પતરાઓ ભારે પવનને કારણે ઉડી ગયા હતા. દાતાર મંદિરમાં કોઈ નુકસાની થઇ ન હતી તેમજ રોપ-વેને કોઈ મોટું નુકસાન થયુ હોય તેવુ જોવા મળ્યું નથી.

તૌકતે વાવાઝોડાને પગલે રોપ-વે અપર સ્ટેશન તેમજ દાતાર પર્વત પરના પતરા ઉડ્યા
તૌકતે વાવાઝોડાને પગલે રોપ-વે અપર સ્ટેશન તેમજ દાતાર પર્વત પરના પતરા ઉડ્યા

  • તૌકતે વાવાઝોડાએ રોપ-વે અપર સ્ટેશન અને દાતાર પર્વત પર નુકસાન કર્યું
  • રોપ-વે અપર સ્ટેશનના તેમજ દાતાર પર્વત પર સિમેન્ટ અને લોખંડના પતરાઓ ઉડ્યા
  • દાતાર પર્વત પર કોઈ ઈજા કે નુકસાન નહીં તેમજ રોપ-વેને પણ કોઇ નુકસાન નહીં

આ પણ વાંચોઃ બાલાસિનોરમાં તૌકતે વાવાઝોડાના કારણે બાજરીના પાકમાં ખેડૂતોને નુકસાન

જૂનાગઢઃ તૌકતે વાવાઝોડાને પગલે જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા રોપ-વેના અપર સ્ટેશન પર વાવાઝોડા બાદ આવેલા ભારે પવને અપર સ્ટેશન નજીક ઉભો કરવામાં આવેલો લોખંડના પતરાના ડોમના કેટલાક પતરા ભારે પવનને કારણે ઉડી ગયા હતા. બીજી તરફ દાતાર પર્વત પર પણ આ જ પ્રકારે સિમેન્ટ અને લોખંડના પતરાથી ઉભા કરવામાં આવેલા સમીયાણાને પણ નુકસાન થયું છે. દાતાર પર્વત પર કોઈપણ વ્યક્તિને ઈજા થયાના સમાચાર નથી. બીજી તરફ ગિરનાર રોપ-વેને પણ વાવાઝોડાએ કોઈ ખાસ નુકસાન કર્યું નથી.

તૌકતે વાવાઝોડાને પગલે રોપ-વે અપર સ્ટેશન તેમજ દાતાર પર્વત પરના પતરા ઉડ્યા

આ પણ વાંચોઃ તૌકતેએ વેર્યો વિનાશ: કપરાડાના આમધા ગામે એકજ ફળિયામાં 15 ઘરોને નુકસાન

ગિરનાર રોપ-વેને દાતાર પર્વત હજુ પણ બંધ જોવા મળી રહ્યા છે

કોરોના સંક્રમણને કારણે ગિરનાર પર્વત પર આવેલો રોપ-વે તેમજ અંબાજી મંદિર બંધ જોવા મળી રહ્યા છે. દાતાર પર્વત પર પણ કોઈપણ ભાવી ભક્તોને દર્શન કરવા માટે જવાની મંજૂરી આપવામાં આવતી નથી. આમ બન્ને જગ્યાએ કોઈપણ પ્રકારના યાત્રિકો નહીં હોવાને કારણે કોઈ ચિંતાનો વિષય બન્યો નથી પરંતુ રોપ-વે અને દાતાર પર્વત પર ભારે પવનને કારણે નુકસાન થયું છે. તેને રીપેરીંગ કરવા માટે હવે કારીગરોની મદદ પણ લેવી પડી શકે છે.

ABOUT THE AUTHOR

...view details