જૂનાગઢઃગત શનિવારના દિવસે જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં એક મહિલાનું કારની (CCTV Footage Junagadh) અડફેટે મોત થતા ચકચાર મચી જવા પામી હતી. મૃતક મહિલા સુખનાથ ચોક વિસ્તારના હનુમાન ગલીમાં રહેતી હોવાની વિગતો બહાર આવી હતી. મૃતકના ભાઈ રફીક ચૌહાણે એવી ફરિયાદ કરી છે કે, બહેનનો અકસ્માત નહીં પણ હત્યાના ઈરાદે ઘટનાને (Junagadh police IPC 302) અંજામ આપવામાં આવ્યો છે .તેવી ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે સમગ્ર મામલો તપાસ પર લીધો હતો. બુધવારે આ કેસમાં આકસ્માતનો બનાવ સનસનાટી પૂર્ણ હત્યામાં પરિવર્તિત થયો હતો. જેને લઈને હવે પોલીસે કાયદેસરના પગલાં લીધા છે.
કેસ ઉકેલાયોઃઆ કેસમાં હત્યાનો આરોપી આદિલખાન પઠાણ મહિલાને કાર વડે કચડીને ઉના મુકામે નાસી છૂટ્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે જૂનાગઢ પોલીસ ઉના શહેરમાં આવેલી પટેલ ગેસ્ટ હાઉસ પાછળના ભાગેથી આરોપી આદિલ પઠાણની અટકાયત કરીને આકરી પૂછપરછ કરવા લઈ ગઈ હતી. તેમણે આ હત્યા નીપજાવી હોવાની કબુલાત આપી છે. આદિલખાન પઠાણને કોઈ આડા સંબંધ હોવાની જાણ મૃતક હસીના બેનને થઈ જતા સમાજમાં આબરુ જવાની ડરે આદિલખાન પઠાણે મહિલાને પતાવી દેવા માટે કારસો રચી નાંખ્યો. વૃદ્ધ હસીના બેનને કારની ઠોકરે કચડીને તેનું મોત નિપજાવ્યું હતું.