જામનગર: હાલ સમગ્ર ભારતમાં 10મી ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રીય કૃમિનાશક સપ્તાહ (National Deworming Week 2022)ની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં બાળકોને નિઃશુલ્ક કૃમિ નિયંત્રણની ગોળી (Free worm control pill In India) આરોગ્ય કાર્યકરો દ્વારા ઘરે-ઘરે જઈ આપવામાં આવી રહી છે. બાળકોમાં કૃમિનાશક દવાના સીધા ફાયદા (benefit of deworming medicine) જેવા કે લોહીની ઉણપમાં સુધારો, પોષણ સ્તરમાં સુધારો તથા ભવિષ્યના ફાયદા, જેવા કે સ્કૂલ અને આંગણવાડીમાં હાજરી અને ગ્રહણશક્તિ સુધારવામાં મદદરૂપ, ભવિષ્યમાં કાર્યક્ષમતામાં અને જીવનદરમાં વૃદ્ધિ તેમજ વાતાવરણમાં કૃમિની સંખ્યા ઓછી હોવાથી જનસમુદાયને લાભ મળશે.
શું કાળજી રાખવી?
કૃમિ નિયંત્રણની દવા ખાવાની સાથે સાથે કૃમિના ચેપથી બચવાના ઉપાયો (Measures to prevent worm infections) પણ ખૂબ જ જરૂરી છે, જેવા કે નખ સાફ અને નાના રાખવા, હંમેશાં સ્વચ્છ પાણી પીવું, ખોરાક ઢાંકીને રાખવો, સાફ પાણીથી ફળો-શાકભાજી ધોવા, ઘરની આજુબાજુ સ્વચ્છતા રાખવી, પગરખા પહેરવા, ખુલ્લામાં સંડાસ ન જવું, હંમેશા શૌચાલયનો જ ઉપયોગ કરવો, હાથ સાબૂથી ધોવા, ખાસ કરીને જમ્યા પહેલા અને શૌચ પછી.
આ પણ વાંચો:મોરબીના વાંકાનેરની રાતીદેવડી શાળામાં રાષ્ટ્રીય કૃમિ દિવસની ઉજવણી કરાઇ
કૃમિથી બાળકો પર શું અસર થાય છે?
કૃમિ નિયંત્રણની દવા તમામ બાળકોને આપવી જરૂરી છે, જ્યારે અમુક બાળકો બીમાર નથી લાગતા તેમને પણ આપવી જરૃરી છે. કૃમિના સંક્રમણ ચક્રના ઉપાય માટે દરેક બાળકને દવા આપવી આવશ્યક છે. બની શકે તો તમારા બાળકોમાં કૃમિનો પ્રભાવ તુરંત જોવા ન મળે, પરંતુ તે બાળકોના સ્વાસ્થ્ય, શિક્ષણ અને સર્વાંગી વિકાસ પર લાંબા સમય સુધી નુક્સાન પહોંચાડી શકે છે. કૃમિ નિયંત્રણની દવાથી બાળકોના સંપૂર્ણ શારીરિક અને માનસિક વિકાસમાં મદદ થાય છે. તમારા બાળકને કૃમિના ચેપથી પીડિત થવાનો મુખ્ય સંકેત (symptoms of worms) એ છે ગુદા પ્રદેશમાં તીવ્ર ખંજવાળ આવવી, જે છોકરીઓના કિસ્સામાં યોનિમાર્ગમાં ફેલાય છે.