ગુજરાત

gujarat

By

Published : Mar 20, 2021, 5:37 PM IST

ETV Bharat / city

જામનગર: જી.જી. હોસ્પિટલમાં 6 હજારથી વધુ લોકોને રસી અપાઇ

સમગ્ર રાજ્યમાં કોવિડના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એવામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કોરોના રસીકરણના ઝુંબેશને વધુ વેગ આપવાની સૂચના આપવામાં આવી હતી. જેના પગલે સરકારી હોસ્પિટલોમાં કામગીરી શરુ કરી દેવામાં આવી છે, ત્યારે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પણ રસીકરણની કામગીરી શરૂ કરાતા શહેરીજનોનો સારો સપોર્ટ જોવા મળી રહ્યો હતો.

જામનગર: જી.જી. હોસ્પિટલમાં 6 હજારથી વધુ લોકોને રસી અપાઇ
જામનગર: જી.જી. હોસ્પિટલમાં 6 હજારથી વધુ લોકોને રસી અપાઇ

  • જામનગરમાં 2,569 ફ્રન્ટલાઇન વર્કસને રસી અપવામાં આવી
  • 6,000 લોકોમાંથી 2,000થી વધુ વર્કસને રસી આપાઇ
  • જી.જી.હોસ્પિટલમાં 6,500 લોકોએ રસી મૂકાવી
    જામનગર: જી.જી. હોસ્પિટલમાં 6 હજારથી વધુ લોકોને રસી અપાઇ

જામનગર: સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણવામાં આવતી જી.જી. હોસ્પિટલ ખાતે અત્યારસુધીમાં 6,500 લોકોને રસી આપવામાં આવી છે. જેમાં ફ્રન્ટલાઇન વર્કસ, હેલ્થલાઈન વર્કસ, સિનિયર સિટીઝન, અને કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા લોકોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, આ 6,000 લોકોમાં 2,000થી વધુ હેલ્થકેર વર્કસ અને 2,569થી વધુ ફ્રન્ટલાઇન વર્કસને આવરી લેવામાં આવ્યા છે.

જામનગર: જી.જી. હોસ્પિટલમાં 6 હજારથી વધુ લોકોને રસી અપાઇ
આ પણ વાંચોઃસિનિયર સિટિઝન મોટી સંખ્યામાં કોરોના રસી મૂકાવવા વેક્સિનેશન કેન્દ્ર પર પહોંય્યાં

સરકારી હોસ્પિટલમાં રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી

જી.જી. હોસ્પિટલમાંથી મેળવેલી માહિતી અનુસાર 20 માર્ચ સુધી હેલ્થકેર વર્કસને અને 2,569 ફ્રન્ટલાઇન વર્કસને રસી આપવામાં આવી છે. આ ઉપરાંત 1,900થી વધુ સિનિયર સિટીઝનને રસી આપી સુરક્ષિત કરવામાં આવ્યા છે. આ રસીકરણ ઝુંબેશમાં 45 વર્ષથી વધુ અને 60 વર્ષથી નીચેના પરંતું કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા લોકોને પણ રસીકરણમાં પ્રાથમિકતા આપવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોવિડના કેસની સંખ્યા વધતા મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા તાકીદની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કોરોના રસીકરણના ઝુંબેશને વધુ વેગ આપવાની સૂચના આપી હતી. જેના પગલે સરકારી હોસ્પિટલોમાં યુદ્ધના ધોરણે રસીકરણની કામગીરી શરુ કરવામાં આવી છે.

જામનગર: જી.જી. હોસ્પિટલમાં 6 હજારથી વધુ લોકોને રસી અપાઇ

આ પણ વાંચોઃ ખંભાળિયામાં વૃદ્ધોને કોરોના રસી આપવામાં આવી

કોઈ પણ જાતના ડર વિના રસી લેવા અપીલ કરતા સિનિયર સિટીઝન

કોરોનાના કેસ વધતા જામનગરનાં રહેવાસીઓ સાથે વાત પણ કરવામાં આવી હતી. જેમા જી.જી. હોસ્પિટલ ખાતેના તાલીમબદ્ધ સ્ટાફ અને કો-ઓપરેટીવ વાતાવરણમાં પોતાને રસી મળી તેનો સંતોષ વ્યકત કરતા સિનિયર સિટીઝન દંપતિ હરસુખલાલ ભારદીયા અને અરુણા ભારદીયા કહે છે કે, “અમે દંપતિએ આજે રસી મૂકાવી, જી.જી. હોસ્પિટલ ખાતે ખૂબ સરળતાથી આ માટેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રસી લેતા સમયે અને લીધા બાદ પણ અમને કોઇ જ તકલીફ થઇ નથી. આ સાથે હરસુખ અન્યોને પ્રેરણા સાથે જ નમ્ર અરજ કરતા કહે છે કે, આ રસી ખૂબ સુરક્ષિત છે અને તેનાથી કોઇ આડઅસર નથી ત્યારે દરેક સિનિયર સિટીઝન આ રસી મૂકાવી સુરક્ષિત બને.” તેમણે વધુમાં કહ્યું કે, રસી અતિ સુરક્ષિત, કોઇ આડઅસર થતી નથી તેથી રસી મુકાવવા જરૂર જાવ અને સુરક્ષિત રહો.

ABOUT THE AUTHOR

...view details