ગુજરાત

gujarat

ETV Bharat / city

vaccination in Gujarat: ગુજરાતમાં હજુ 1.02 કરોડ નાગરિકોએ નથી લીધી વેક્સિન, સરકાર હવે ઘરે ઘરે જઈને આપશે રસી

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળેલા સત્તાવાર આંકડા પ્રમાણે રાજ્યમાં કોરોના સંક્રમણથી (Corona transition) બચવા માટે રસીકરણનું અભિયાન (vaccination in Gujarat) પુર જોશમાં છે. કેન્દ્ર સરકાર દ્વારા 100 કરોડ ડોઝની ઉજવણી પણ કરવામાં આવી હતી. ગુજરાતમાં 100 ટકા રસીકરણ પૂરું થાય તે માટે ડિસેમ્બર 2021 સુધીનો ટાર્ગેટ મૂકવામાં આવ્યો છે પરંતુ રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં હજુ 46,29,943 લોકોએ પ્રથમ ડોઝ લીધો જ નથી. પ્રથમ ડોઝ લીધો હોય અને બીજો ડોઝ ડ્યું થઈ ગયો હોય તેવા 55,83,571 લોકોએ હજુ ડોઝ લીધો જ નથી.

By

Published : Nov 18, 2021, 1:07 PM IST

corona
corona

  • રાજ્યમાં રસીકરણ બાબતે મોટો ખુલાસો
  • રાજ્યમાં હજુ પ્રથમ અને બીજા ડોઝ નહિ લીધા હોવાના આંકડા સામે આવ્યા
  • 46,29,943 નાગરિકોએ હજુ પ્રથમ ડોઝ જ નથી લીધો
  • બીજો ડોઝ ડ્યું હોય તો પણ 55,83,571 લોકોએ હજુ રસી નથી લીધી
  • સરકાર હવે ઘરે ઘરે જઈને આપશે રસી

ગાંધીનગર: 17 નવેમ્બરના રોજ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના (Chief Minister Bhupendra Patel) અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા એક આંકડો જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં કેટલાક લોકોએ લઈ લીધી નથી. કેબિનેટ બેઠકમાં (Cabinet meeting) થયેલા નિર્ણય મુજબ રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ (jitu vaghani) સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ઘરે-ઘરે જઈને રસીકરણ અભિયાન વધુ ઝડપી બનાવવામાં આવશે. આમ રાજ્ય સરકાર દ્વારા હવે જે લોકોએ કોરોના રસીનો ડોઝ લીધો નથી તેવા તમામ નાગરિકોના ઘરે જઈને (door to door vaccination) રસીકરણ કરવામાં આવશે.

ગુજરાતમાં હજુ 1.02 કરોડ નાગરિકોએ નથી લીધી વેક્સિન

પ્રથમ ડોઝની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ હોય તેવા જિલ્લા અને કોર્પોરેશન

  • સુરત કોર્પોરેશન
  • રાજકોટ કોર્પોરેશન
  • ભાવનગર કોર્પોરેશન
  • ગાંધીનગર કોર્પોરેશન
  • જૂનાગઢ કોર્પોરેશન
  • બરોડા કોર્પોરેશન
  • અમદાવાદ જિલ્લો
  • જૂનાગઢ જિલ્લો
  • તાપી જિલ્લો
  • મહીસાગર જિલ્લો

કોર્પોરેશન વિસ્તારમાં પ્રથમ અને બીજા ડોઝ બાકી હોય તેવી વિગતો:-

કોર્પોરેશન પ્રથમ ડોઝ બીજો ડોઝ કુલ બાકી
અમદાવાદ 1,14,265 8,27,416 9,41,681
રાજકોટ 00 2,05,652 2,05,652
સુરત 00 6,05,948 6,05,948
બરોડા 00 23,955 23,955
જામનગર 32,025 67,831 99,856
ભાવનગર 00 72,271 72,271
જૂનાગઢ 00 42,897 42,897
ગાંધીનગર 00 63,504 63,504

જિલ્લામાં પ્રથમ અને બીજા ડોઝ બાકી હોય તેવી વિગતો:-

જિલ્લા પ્રથમ ડોઝ બીજો ડોઝ કુલ બાકી
મહેસાણા 3,52,779 1,45,954 4,98,733
બનાસકાંઠા 2,97,852 1,69,722 4,67,574
કચ્છ 2,08,679 2,58,106 4,66,785
અમરેલી 3,46,117 1,01,637 4,47,754
સુરેન્દ્રનગર 2,94,223 1,32,178 4,26,401
સુરત 1,18,774 2,73,702 3,92,476
ગાંધીનગર 2,24,522 1,62,670 3,87,192
ગીર સોમનાથ 1,48,276 2,35,458 3,83,734
આણંદ 2,93,667 76,492 3,70,159
ભાવનગર 1,37,125 2,23,226 3,60,351
પાટણ 3,12,365 46,869 3,59,234
રાજકોટ 92,780 2,22,064 3,14,844
મોરબી 1,33,330 1,49,971 2,83,301
વલસાડ 71,034 2,10,553 2,81,587
પંચમહાલ 1,99,940 55,262 2,55,202
ભરૂચ 34,713 2,18,620 2,53,333
બોટાદ 1,81,903 68,726 2,50,629
ખેડા 1,46,787 81,551 2,28,338
નવસારી 1,49,616 53,991 2,03,607
સાબરકાંઠા 1,05,352 83,361 1,88,713
છોટા ઉદેપુર 1,80,776 3034 1,83,810
દ્વારકા 76,385 93,908 1,70,293
પોરબંદર 70,912 81,316 1,88,713
જામનગર 50,840 1,01,326 1,52,166
બરોડા 14,770 1,30,231 1,45,001
અરવલ્લી 1,22,542 19,842 1,42,384
નર્મદા 49,556 13,698 63,254
દાહોદ 37,220 17,651 54,871
ડાંગ 30,821 12,844 43,665

મતદાનયાદીનો ઉપયોગ

રાજ્યમાં કોરોના સંક્રમણથી બચવા માટે રસીકરણની (vaccination in Gujarat) કામગીરી કરવામાં આવી હતી. જે કારગર સાબિત થઇ છે. રાજ્યમાં જેટલા પણ લોકોએ કોરોનાની રસી લીધી નથી, તે વિગતો પ્રાપ્ત કરવા માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા મતદાર યાદીનો ઉપયોગ (Use of voter list) કરવામાં આવી રહ્યો છે. મતદારયાદીના ઉપયોગથી લોકોના ઘરે જઈને (door to door vaccination) રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની રસી આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં વેક્સિન બાબતે નિષ્ક્રિયતા

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના (Department of Health) આંકડા પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (AMC) વ્યક્તિનું બાબતે ખૂબ જ નિષ્ક્રિયતા જોવા મળી રહી છે. મહત્વની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં કુલ 1,14,265 નાગરિકો પ્રથમ ડોઝમાં અને 8,27,416 નાગરિકોએ કે જેઓ પ્રથમ ડોઝ પ્રાપ્ત કરી લીધો છે પણ બીજો ડોઝ લેવા નથી જઈ રહ્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના રસીકરણ વધે તેને ધ્યાનમાં લઈને જે લોકો રસીકરણ માટે આવે છે તેઓને રસીકરણ બાદ એક લિટર તેલનું પાંઉચ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details