ગુજરાત

gujarat

PM કિસાનનો હપ્તો જાહેર કર્યા બાદ PM મોદીની મોટી જાહેરાત, સાંભળીને તમે ખુશ થઈ જશો

By

Published : Oct 17, 2022, 8:42 PM IST

પીએમ નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં પીએમ કિસાન સન્માન સંમેલન-2022નું ઉદ્ઘાટન (PM Modi At Kisan Sanman Sammelan in Delhi ) કર્યું હતું. ખેડૂતોને સંબોધિત કરતાં તેમણે એવી વાતો જણાવી તેમાં નેનો યુરિયા વિશે મહત્ત્વની વાતો ( Gujarat Assembly Election 2022 ) કહી હતી.જેને ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે મહત્ત્વની કહી શકાય.

PM કિસાનનો હપ્તો જાહેર કર્યા બાદ PM મોદીની મોટી જાહેરાત, સાંભળીને તમે ખુશ થઈ જશો
PM કિસાનનો હપ્તો જાહેર કર્યા બાદ PM મોદીની મોટી જાહેરાત, સાંભળીને તમે ખુશ થઈ જશો

દિલ્હીપીએમ મોદીએ દિલ્હીમાં બે દિવસીય ‘પીએમ કિસાન સન્માન સંમેલન 2022’નું ઉદ્ઘાટન (PM Modi At Kisan Sanman Sammelan in Delhi )કર્યું હતું. અહીં તેમણે નેનો યુરિયાને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરવાના સાધન તરીકે વર્ણવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે ભારત યુરિયા ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે પ્રવાહી નેનો-યુરિયા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. વડાપ્રધાને અહીં સ્થિત ભારતીય કૃષિ સંશોધન સંસ્થાનના પુસા મેળા મેદાનમાં તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ PM કિસાન યોજના હેઠળ 16000 કરોડનો 12મો હપ્તો જાહેર કર્યા પછી પોતાના સંબોધનમાં આ વાત કહી હતી. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) આવી રહી છે તેવામાં ખેડૂતો માટે આ મહત્ત્વની બાબત બની રહેશે.

2 લાખ કરોડથી વધુ ખાતામાં ટ્રાન્સફર થયા છેપીએમ મોદીએ કિસાન સન્માન નિધિને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી નાના ખેડૂતોને થતા ફાયદાનું ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે (PM Modi At Kisan Sanman Sammelan in Delhi )કહ્યું કે આ યોજના શરૂ થયા બાદ ખેડૂતોના બેંક ખાતામાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુ ટ્રાન્સફર ( Big announcements ahead of Gujarat Assembly Election 2022 ) કરવામાં આવ્યા છે. આ પ્રસંગે તેમણે ખેડૂતોને ખેતીમાં નવી પ્રણાલીઓ બનાવવા અને ખુલ્લા મનથી વૈજ્ઞાનિક પધ્ધતિઓ અને ટેકનોલોજી અપનાવવા પણ અપીલ કરી હતી.

ઓછા ખર્ચે ઉચ્ચ ઉપજ આપતું માધ્યમ તેમણે કહ્યું, ‘યુરિયા ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે ભારત ઝડપથી પ્રવાહી નેનો-યુરિયા તરફ આગળ વધી રહ્યું છે. નેનો યુરિયા એ ઓછી કિંમતે ઉચ્ચ ઉપજનું માધ્યમ છે. જેમને યુરિયાની એક બોરીની જરૂર છે, તે કામ હવે નેનો યુરિયાની નાની બોટલથી થાય છે. આ વિજ્ઞાન અને ટેકનોલોજીની અજાયબી છે. વડાપ્રધાને કહ્યું કે ભારત આજે જે વસ્તુઓની આયાત પર સૌથી વધુ ખર્ચ કરે છે તેમાં ખાદ્ય તેલ, ખાતર અને ક્રૂડ ઓઈલનો સમાવેશ થાય છે અને તેને ખરીદવા માટે દર વર્ષે લાખો કરોડ રૂપિયા અન્ય દેશોને આપવા પડે છે.

ખેતીમાં નવી વ્યવસ્થા ઉભી કરવી પડશેરશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર તેમણે કહ્યું, ‘જો વિદેશમાં કોઈ સમસ્યા હોય તો તેની ખરાબ અસર આપણા પર પણ પડે છે.’ ખેડૂતોને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે તેઓએ કૃષિમાં નવી પ્રણાલીઓ બનાવવી પડશે અને ખુલ્લા મનથી વધુ વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને ટેકનોલોજી અપનાવવી પડશે. તેમણે કહ્યું, ‘આ વિચાર સાથે અમે કૃષિ ક્ષેત્રમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ વધારવા પર ભાર મૂક્યો છે.’

‘એગ્રી સ્ટાર્ટઅપ કોન્ક્લેવ’નું ઉદ્ઘાટનપીએમ મોદીએ સરકારની આઠમી વર્ષગાંઠના અવસર પર મે મહિનામાં હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં કિસાન સન્માન નિધિના 11મા હપ્તા તરીકે 21,000 કરોડ રૂપિયા જાહેર ( Big announcements ahead of Gujarat Assembly Election 2022 ) કર્યા હતા. આ પ્રસંગે મોદીએ ‘એગ્રી સ્ટાર્ટઅપ કોન્ક્લેવ’નું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત, તેમણે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલય હેઠળ 600 PM-કિસાન સમૃદ્ધિ કેન્દ્રો (PM-KSKs)નું પણ ઉદ્ઘાટન કર્યું અને ‘ભારત’ યુરિયા બ્રાન્ડ નામ હેઠળ ખેડૂતો માટે ‘વન નેશન-વન ફર્ટિલાઇઝર’ નામની મહત્વપૂર્ણ યોજના પણ શરૂ કરી.

કિસાન સમૃદ્ધિ કેન્દ્રોનો ઉલ્લેખ પીએમ મોદીએ (PM Modi At Kisan Sanman Sammelan in Delhi ) કહ્યું કે આ યોજના ખેડૂતોને સસ્તા અને ગુણવત્તાયુક્ત ખાતર આપશે. તેમણે કહ્યું, ‘વન નેશન વન ફર્ટિલાઇઝર ખેડૂતને તમામ પ્રકારની મૂંઝવણમાંથી મુક્ત કરશે અને વધુ સારું ખાતર પણ ઉપલબ્ધ થશે. હવે દેશમાં એ જ નામ અને એ જ બ્રાન્ડ અને એ જ ગુણવત્તાવાળું યુરિયા વેચવામાં આવશે અને આ બ્રાન્ડ ભારત છે. પીએમ-કિસાન સમૃદ્ધિ કેન્દ્રોનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે આ એવા કેન્દ્રો હશે જ્યાં માત્ર ખાતર જ નહીં પરંતુ બિયારણ અને સાધનસામગ્રી પણ ઉપલબ્ધ હશે અને માટીનું પરીક્ષણ પણ કરી શકાશે. ખેડૂતોને તમામ પ્રકારની માહિતી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details