ગાંધીનગરઃ કેન્દ્ર અને રાજ્ય સરકાર રાજ્યમાં અનેક પ્રોજેક્ટને લઈને જમીન સંપાદનનું કામ હાથ ધરવામાં આવતું હોય છે. જમીન સંપાદન કર્યા (Land acquisition of Abhod village Baroda) બાદ જમીનમાલિકોને સમયસર વળતર (Government negligence in land acquisition work) મળતું નથી. અથવા તો જો વળતર મળે તો પૂરતા પ્રમાણમાં મળતું નથી. આવો જ એક કિસ્સો ગુજરાતમાં નોંધાયો છે.
સચિવાલયનો સામાન લઈ ખેડૂતો રવાના - ખેડૂતોને ફક્ત 225 રૂપિયા ઓછા મળવાના કારણે ખેડૂતો કોર્ટમાં ગયા હતા. કોર્ટ પણ તેમનું સાંભળીને 225 રૂપિયા ચૂકવવાનો હૂકમ (Court order to confiscate the goods of the Secretariat) કર્યો હતો. તેમ છતાં પણ 225 રૂપિયા ન ચૂકવતા કોર્ટે જ જપ્તી વોરંટ ઈશ્યુ કર્યું હતું અને ખેડૂતોએ સચિવાલયમાં આવીને 15 ખુરશીઓ 9, કોમ્પ્યુટર, 7 પ્રિન્ટર અને 9 CPU લઈને રવાના (Farmers collected the dues at the Secretariat) થયા હતા.
પાદરા કોર્ટનો હુકમ -સમગ્ર ઘટનાની વાત કરીએ તો, બરોડાના અભોર ગામની જમીન વર્ષ 1988માં સંપાદિત કરવામાં આવી હતી અને જમીનનું વર્તન પ્રતિઆરે આપવામાં આવ્યું હતું. આમાં જિલ્લા કોર્ટે આ વળતરમાં વધારો કરીને 1,725 કર્યા હતા અને બાદમાં હાઈકોર્ટે તેમાં 100 રૂપિયાનો ઘટાડો કરીને 1,625 વળતર આપવાનું હુકમ કર્યો હતો કે, જ્યારે સંપાદન ખાતાએ રૂપિયા 1,400 જ ખેડૂત ખાતેદારોને આપ્યા હતા અને 225 રૂપિયા હજી સુધી આપ્યા નહતા અને છેલ્લા કેટલાય વર્ષોથી આ સમગ્ર કેસ પાદરા કોર્ટમાં (Disobedience of the order of the Padra Court) કાર્યરત્ હતો, જેમાં પાદરા કોર્ટે 225 રૂપિયા ચૂકવવા માટેનો સત્તાવાર હુકમ પણ કર્યો હતો.
સરદાર સરોવર નિગમે કોર્ટના હુકમનો કર્યો અનાદર - કોર્ટના હુકમ છતા સરદાર સરોવર નિગમ (Sardar Sarovar Corporation) કોર્ટનો અનાદર (Disobedience of the order of the Padra Court) કર્યો હતો. ત્યારબાદ કોર્ટે નિગમની ચીજવસ્તુઓની જપ્તીનો હુકમ આપ્યો હતો અને 15 જેટલા ખેડૂતો કોર્ટનો હુકમ લઈને સચિવાલયમાં પહોંચ્યા હતા અને 15 જેટલી ખુરશીઓ નવ કોમ્પ્યુટર જપ્ત (Farmers collected the dues at the Secretariat) કર્યા હતા.