- ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજીનામુ પરત ખેંચ્યું
- 24 કલાકમાં જ પરત ખેંચ્યું
- મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથેની બેઠક બાદ લીધો નિર્ણય
ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કેબિનેટ બેઠક પહેલા મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન ખાતે બેઠક કરી હતી. આ બેઠક બાદ મનસુખ વસાવાએ પક્ષ અને સરકાર સામે કોઇ જ પ્રકારની નારાજગી નહિં હોવાની પણ વાત કરી હતી, જ્યારે તેઓએ રાજીનામું ફક્ત બીમારીના કારણે આપ્યું હોવાનું પણ નિવેદન સાંસદ મનસુખ વસાવાએ આપ્યું હતું.
સરકારની નીતિ સામે કોઈ નારાજગી નહીં: મનસુખ વસાવા
મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, સરકારની જે નીતિ રીતિ છે, તેની સામે કોઇ જ પ્રકારની નારાજગી નથી. અત્યારે મનસુખ વસાવાએ ઇકો સેન્સેટીવ ઝોન મુદ્દે રાજીનામું આપ્યું હોવાની વાત પણ તેમના પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ બાબતે વસાવાએ જણાવ્યું હતું કે, ઈકો સેન્સીટીવ ઝોન મુદ્દે રાજીનામું આપવામાં ન હોતું આવ્યું, પરંતુ છેલ્લા કેટલાય સમયથી મારી તબિયત ખરાબ રહેતી હોવાના કારણે ડોક્ટરની સલાહ પ્રમાણે મારે આરામની જરૂર હોવાથી મે રાજીનામું આપ્યું હતું.