- રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેર કરી નવી સોલાર પોલિસી
- રાજ્યમાં હવે કોઈ પણ વ્યક્તિ, સંસ્થા વીજળી ઉપન્ન કરી શકશે
- ઉત્પન્ન કરેલી વધારાની વીજળી રાજ્ય સરકારને વેચી પણ શકશે
ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત સોલાર પોલિસી 2021ની જાહેરાત કરી હતી, જેમાં મહત્ત્વની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ કોઈપણ ખાનગી સંસ્થા અથવા તો કોઈ પણ ટ્રસ્ટ વીજળીનું ઉત્પાદન કરી શકશે અને વધારાની વીજળી રાજ્ય સરકારને વેચી પણ શકશે..
સરકારે જાહેર કરેલી સોલાર પોલિસીની મહત્ત્વની બાબતોઃ
- સોલાર પ્રોજેક્ટ સ્થાપવા માટે ઉદ્યોગ સેક્શન્ડ લોડ અથવા કોન્ટ્રેક્ટ ડિમાન્ડના 50 ટકાની હાલની લિમિટ દૂર કરવામાં આવી છે.
- ગ્રાહકો તેમની જગ્યા પર સોલાર પ્રોજેક્ટ સ્થાપી શકશે તેમની છઠ્ઠા અથવા તો જગ્યા જે તે પરિસરમાં વીજ ઉત્પાદન અને વીજ વપરાશ માટે થર્ડ પાર્ટીને લીઝ પર પણ આપી શકશે.
- વીજ કંપનીઓને PPA માટે આપવાની સિક્યુરિટી ડિપોઝિટની રકમ પ્રતિ મેગાવોટ રૂપિયા 25 લાખથી ઘટાડીને રૂપિયા 5 લાખ પ્રતિ મેગાવોટ અને કરવામાં આવી છે.
- નવી સોલર પાવર પોલિસી 5 વર્ષ સુધી એટલે કે 31 ડિસેમ્બર 2025 સુધી કાર્યરત રહેશે. આ નીતિ હેઠળ સ્થાપિત સોલાર પ્રોજેક્ટના લાભ 25 વર્ષના પ્રોજેક્ટ સમયગાળા માટે મેળવી શકાશે.
- એકથી વધારે ગ્રાહકોનું જૂથ પોતાના કેપ્ટન વપરાશ માટે સામૂહિક મૂડી રોકાણથી સોલાર પ્રોજેક્ટ સ્થાપીને તેમાંથી ઉત્પાદિત થતી વીજળીનો વપરાશ તેમના મૂડીરોકાણના પ્રમાણમાં કરી શકશે.
સોલાર ઊર્જાનો વ્યાપ વધે અને સસ્તા દરે વીજળી મળે તે માટે નવી પોલિસીઃ CM રૂપાણી
સોલાર પોલિસીની જાહેરાત અંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સોલાર ઊર્જાનો વ્યાપ વધે અને લોકોને સસ્તી વીજળી ઘર આંગણે મળી રહે એ માટે સોલાર પોલિસી 2015માં કાર્યવાહી કરી હતી. આ નીતિને મળેલા પ્રતિસાદને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા આગામી નવી ગુજરાત સોલર પાવર પોલિસી 2021ને અમલમાં મૂકવામાં આવી છે. આ નવી સોલાર પોલિસીના પરિણામે રાજ્યમાં સૌર ઊર્જાનો વપરાશ ઉત્પાદન વધવાથી ઉદ્યોગકારોની પ્રોડક્શન કોસ્ટ નીચી જશે અને મેડ ઈન ગુજરાત પ્લાન્ટ ગુજરાતમાં સહિત સમગ્ર દેશ દુનિયામાં છવાઈ જાય તેવી પણ આશા રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વ્યક્ત કરી છે.